ટીમ મોદીનાં બે વરિષ્ઠ કેન્દ્રીયમંત્રીઓ અમિત શાહ અને રાજનાથ સિંહ ક્યા બેસશે તે નક્કી થઇ ગયું છે અને બનેંને જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. વરિષ્ઠ નોતા અને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાજુમાં જ બેસશે. સંસદ ગૃહમાં PM મોદીનાં ઓફિસ રુમની બંને બાજીનાં ઓફિસ રૂમ બનેં દિગ્ગજો માટે ફળવવામાં આવ્યા છે.
![PMની એક બાજુ બેસશે અમિત શાહ, તો બીજી બાજુ રાજનાથ સિંહ, ઓફિસ ફળવાઇ 4 narendra modi amit shah rajnath singh pti PMની એક બાજુ બેસશે અમિત શાહ, તો બીજી બાજુ રાજનાથ સિંહ, ઓફિસ ફળવાઇ](https://api.mantavyanews.in/wp-content/uploads/2019/06/narendra-modi-amit-shah-rajnath-singh-pti.jpg)
રાજનાથ સિંહ, વડાપ્રધાનનાં ઓફિસ રૂમની જમણી બાજીનાં રૂમમાં બેસી સંરક્ષણ મંત્રાલયનાં કાર્યો કરશે તો નવા ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાનનાં ઓફિસ રૂમની ડાબી બાજીનાં રૂમમાં બેસી ગૃહ મંત્રાલયનું કાર્યભાર સંભાળશે. બનેં પ્રધાનોમાં સ્ટાફ અને સચિવો માટે સેન્ટ્રલ હોલની ડાબી બાજુના ઓરડામાં વ્યાવસ્થા કરવામા આવી છે.
આપને જણાવી દઇએ કે 17મી લોકસભામાં ટીમ મોદીનાં નવા પ્રધાનોએ સંસદ ગૃહનાં તેમની ઓફિસોની ફાળવવાનું શરૂ કરી દેવામા આવીછે. મોટા ભાગનાં જૂના પ્રધાનોની ઓફિસોની લગભગ એજ રાખવામાં આવીછે. તો સંસદ ગૃહમાં વડા પ્રધાનની ચેમ્બરની જમણી બાજુએ સામાન્ય રીતે ગૃહમંત્રી અથવા સરકારમાં નંબર 2 ની ભૂમિકામાં જે હોય તેને સ્થાન મેળવે છે. ભાજપના સંસદીય પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના રૂમમાં કોઈ ફેરફાર થયો નથી. અને તે નવી ભૂમિકામાં પણ PMની જમણી બાજુની ઓફિસમાં જ બેસશે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ માટે આઠ નંબરનો રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.