@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ- અમદાવાદ
દાહોદમાં જમીન વિકાસ નિગમના મદનીશ નિયામક લક્ષ્મીકાંત પરુલકર પાસેથી એક કરોડ બે લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. આરોપી વર્ગ 2 ના અધિકારી પાસે થી 57.72 ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા ACB એ ગુનો નોંધી આરોપી ના એકાઉન્ટ સીઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
- જમીન વિકાસ નિગમ અધિકારી પાસે અપ્રમાણસર મિલકત મળી આવી.
- મદનીશ નિમાયક લક્ષ્મીકાંત પાસે થી અપ્રમાણસર મિલકત મળી આવી.
- 1 કરોડ 2 લાખ ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.
પ્રજાના કામ માટે બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓ જ પ્રજાના ખીસાના પૈસા ખંખેરી રહ્યા છે. અને આવા લાચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACB એ કાર્યવાહી હાથ ધરી છે. દાહોદમાં જમીન વિકાસ નિગમ મદનીશ નિમાયક તરીકે ફરજ બજાવતા લક્ષ્મીકાંત પરુલકર સામે ખેત તલાવડી, સિમ તલાવડી પાણીના ટાંકા બનાવવામાં ગેરરીતી બાબતે તેમની સામે અલગ 2 ગુના દાહોદ ACB મા દાખલ થયા હતા.
આ કેસમાં આરોપી લક્ષ્મીકાંત પરુલકર તેમજ તેના પરિવારના બેન્ક ખાતા અને દસ્તાવેજ અંગે ACB એ તપાસ કરતા લક્ષ્મીકાંત ની 57.72 ટકા એટલે કે એક કરોડ બે લાખ રૂપિયા ની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાથે જ તપાસમાં આરોપી મદનીશ નીયામક ના અલગ અલગ બેક ખાતામાંથી માતબર રોકડ રકમ ના વ્યહવાર પણ બહાર આવ્યા છે.