દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી છે. આ વાયરસથી અનેક લોકો મરી રહ્યા છે. હરિદ્વારના પંચાયતી અખાડાના નિંરજનીના બે સંતનો કોરોનાથી મોત નિપજ્યું હતું.સંત સોમનાથ ગિરીને બર્ફાની બાબા હોસ્પિટલમાં 15 દિવસ પહેલા કોરોનાના લીધે એડમીટ કરવામાં આવ્યાં હતા ત્યાં તેમનું મોત નિપજયું હતું .જયારે સંત અજ્ય ગિરિને ઋષિકેશ એઇમ્સ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા ભર્તી કરવામાં આવ્યા હતા. તેમનું પણ આજે કોરોનાથી હોસ્પિટલમા મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હરિદ્વારના કુંભ મેળામાં કોરોના સ્પ્રેડ થયો હતો. કોરોના સંક્રમણના કેસો હરિદ્વારમાં દિનપ્રતિદન વધી રહ્યા છે. કોરોના સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોનાની ઝપેટમાં સંતો આવી ગયા છે અત્યાર સુધી 9 સંતોના કોરોનાથી મોત નિપજ્યા છે. કોરોના સંક્રમણ જે પ્રમાણે ફેલાઇ રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે હજીપણ કોરોનાથી લોકો મરશે.સરકારે અસરકારક ગાઇડલાઇન અમલી બનાવી છે. તે છંતા પણ કોરોના ઘાતક બની રહ્યો છે.