રાજધાની દિલ્લીમાં ગઈ કાલે રાત્રે આગની ઘટના સામે આવી છે. કીર્તિનગર વિસ્તારમાં આવેલી એક ફર્નીચરના માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.
આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળે ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવા માટે મથી રહી હતી. જો કે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગના લીધે કોઈ જાનહાનિના સમાચાર પણ મળ્યા નથી.