New Delhi: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીમાં માણસો તેમજ પશુ-પક્ષીઓની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે દિલ્હીનાં પ્રાણીસંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂમાં તળાવો ભરી દેવામાં આવ્યા છે. હાથીઓ પર પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે.
વેટરનરી ઓફિસરે જણાવ્યું હતું કે, “બધા પ્રાણીઓની તેમની પ્રજાતિ પ્રમાણે સંભાળ રાખવામાં આવે છે. ઉનાળામાં પ્રાણીઓ સૌથી વધુ સક્રિય હોય છે. પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓને હાઇડ્રેટેડ રાખવા માટે ફળોના બરફના ગોળા આપીએ છીએ.”
માંસાહારી પ્રાણીઓ માટેના આહારના ઉપાયો વિશે એક તજજ્ઞે કહ્યું, “અમે ખોરાકની માત્રામાં ઘટાડો કરીએ છીએ અને ખોરાકને તેમની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે પાણીનું સેવન વધારીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણીઓનું સંતુલન જાળવવાનો છે. નેશનલ ઝૂઓલોજિકલ સોસાયટીના ડાયરેક્ટર ડૉ. સંજીત કુમારના જણાવ્યા અનુસાર, “વિવિધ પ્રાણીઓની અલગ-અલગ જરૂરિયાતો હોય છે, જેમ કે તળાવ અને ભીની માટી અને અમે તેની ખાતરી કરી રહ્યા છીએ. દિવસમાં બે કે ત્રણ વખત પ્રાણીઓને નવડાવવું જરૂરી બનાવવામાં આવ્યું છે. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ તાપમાનને રેકોર્ડ કરવા માટે તમામ એન્ક્લોઝરમાં વોલ થર્મોમીટર લગાવી રહ્યા છે.
હોસ્પિટલ સ્ટાફ પણ એલર્ટ
એક અધિકારીએ જણાવ્યું હતું, “બે પ્રાણીઓના કિસ્સામાં, એકને સવારે 6 થી 12 વાગ્યા સુધી છોડી દેવામાં આવે છે જ્યારે બીજાને બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી બહાર રાખવામાં આવે છે.” ઝૂ હોસ્પિટલ સ્ટાફ ખાસ કરીને પીક અવર્સ દરમિયાન (બપોરે 12 થી સવારે 2 વાગ્યા સુધી) ઈમરજન્સીમાં જવાબ આપવા માટે સતર્ક છે.
પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓ આવવાનું ચાલુ રાખે છે. તેમની સલામતી અને સગવડતા સુનિશ્ચિત કરવા માટે પેકેજ્ડ પાણી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને અન્ય હાઈડ્રેટિંગ ખાદ્ય ઉત્પાદનો પણ વેચવામાં આવે છે. કટોકટીનો સામનો કરવા માટે પ્રાથમિક સારવાર, ORS, ગ્લુકોઝ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.”
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ગરમીનું મોજું યથાવત્, હીટસ્ટ્રોકથી 250થી વધુ બિમાર
આ પણ વાંચો: સાંસદ પ્રજ્વલ રેવન્ના ભારત પહોંચ્યા, SIT આજે કોર્ટ સમક્ષ હાજર કરશે