અરબ સાગર થી ઉઠેલા વાવઝોડા તૌકતેવિકરાળ રુપ લઇ રહ્યું છે.આ જોતા સરકારે અને સુરક્ષાદળે સતર્કતા રાખી છે. તો મહારાષ્ટ્રમાં આ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. વાવાઝોડાને કારણે મુંબઇ ઠપ થઇ ગયુ છે. મુંબઇની સાથે સાથે મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં તેનો પ્રકોપ જોવા મળે છે. સાથે ગોવા અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં વાપી શહેરમાં હાલમાં ઘણી બધી ટીવી સિરીયલ્સનું શૂટિંગ ચાલે છે.
એવામાં વાવાઝોડુ તૌકતેને કારણે આ ટીવી સીરિયલ્સની શૂટિંગમાં રુકાવટ આવી ગઇ છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નાં એક્ટર કરણ કુન્દ્રા એ તેની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર વાવાઝોડાનાં વીડિયો શેર કર્યા છે. જે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’નાં સેટ પરનાં છે. વીડિયોમાં આપ જોઇ શકો છો કે, વાવાઝોડાથી કેવી રીતે શોનો સેટ વેરવિખેર થઇ જાય છે. વીડિયોમાં ક્રૂ મેમ્બર્સ પણ અહીં-તહીં ભાગતા નજર આવે છે.