ચાલુ વર્ષે ગુજરાત ને રોગચાળાએ બાનમાં લીધું છે. એકબાજુ ડેન્ગ્યુ સહિતના રોગોએ હાહાકાર મચાવ્યો છે તો, બીજી બાજુ ધાનેરા પંથકને ડિપ્થેરિયાના રોગે ભરડામાં લીધો છે.
બનાસકાંઠાના ધાનેરામાં ડિપ્થેરિયાના રોગો હાહાકાર મચાવ્યો છે. ત્યારે વધુ એક બાળકનું ડિપ્થેરિયાના કારણે મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સામરવાડાના કિશન નામના છ વર્ષીય બાળકનું મોત થયું છે. અત્યાર સુધીમાં 6 માસૂમમોના ડિપ્થેરિયાએ ભોગ લીધા છે.
જ્યારે હાલ 20 જેટલા બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની રસી માટે ઘરે ઘરે ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશ ચાલુ હોવા છતાં ડિપ્થેરિયાએ લીધો બાળકોનો ભોગ લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.