દેશમાં એક તરફ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે, જો કે હવે દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. જે બાદ હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વળી છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો નહતો, જેના કારણે લોકોને ઘણી રાહત થઇ હતી. આજે પેેટ્ર્લોનાં ભાવમાં કોઇ ફેરફાર થયો નથી, પરંતુ ડીઝલનાં ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો – સાવધાન! / તહેવારોની સીઝન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરી કોરોના ગાઇડલાઇન
આપને જણાવી દઇએ કે, શુક્રવારે ઓઇલ કંપનીઓએ ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે, જ્યારે પેટ્રોલની કિંમત સ્થિર છે. તે જાણી શકાય છે કે ડીઝલનાં ભાવમાં 70 દિવસ પછી ફેરફાર થયો છે. બીજી બાજુ, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં વધારો થયો છે, જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધી શકે છે. આપને જણાવી દઈએ કે, ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સહિત ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સુધારો કરવામાં આવે છે. નવા ભાવો દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવે છે. રાજ્યો અને શહેરોમાં મૂલ્યવર્ધિત કર, સ્થાનિક અને નૂર શુલ્કને કારણે ઇંધણનાં ભાવ અલગ-અલગ હોય છે જે સ્થાન પ્રમાણે બદલાય છે.
આ પણ વાંચો – Covid-19 / કેરળમાં આફતનો પર્યાય બન્યો કોરોના, દેશ માટે બન્યુ ચિંતાનું કારણ
આજ પહેલા 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલનાં દરમાં કોઈ ફેરફાર થયો ન હતો. ઓઇલ કંપનીઓએ 01 સપ્ટેમ્બર અને 05 સપ્ટેમ્બરે બે વખત પેટ્રોલ અને ડીઝલનાં દરમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. સપ્ટેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલ 30 પૈસા સસ્તું થયું. પરંતુ ત્યારથી ઈંધણનાં ભાવમાં ન તો વધારો થયો છે અને ન તો ઘટાડો થયો છે. જણાવી દઇએ કે, પેટ્રોલની કિંમતમાં સેન્ટ્રલ એક્સાઇઝ અને સ્ટેટ ટેક્સ 60 ટકા છે, જ્યારે ડીઝલમાં તે 54 ટકા છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 32.90 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ બદલાય છે. આ કિંમતો બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ અને વિદેશી વિનિમય દરનાં આધારે નક્કી કરવામાં આવે છે.