અમદાવાદ: છબરડાબાજી માટે જાણીતી ગુજરાત યુનિવર્સિટીમાં અવ્યવસ્થાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતા 40 જેટલા અભ્યાસક્રમોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમોનું યોગ્ય રીતે સંચાલન કરવામાં યુનિવર્સિટીની નિષ્ફળતાનો વિરોધ કરી રહ્યા છે.
આ અભ્યાસક્રમોમાં ફેકલ્ટી મેમ્બર્સને વારંવાર બદલવામાં આવે છે, જે શિક્ષણને પ્રતિકૂળ અસર કરે છે. વિદ્યાર્થીઓએ GUના વાઈસ ચાન્સેલર અને અધિકારીઓને ઈમેલ મોકલીને કાર્યવાહીની માંગ કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સેલ્ફ ફાઇનાન્સ્ડ ધોરણે ચાલતા કોર્સના તમામ કોઓર્ડિનેટર અને કેટલાક ફેકલ્ટી મેમ્બર તાજેતરમાં બદલવામાં આવ્યા છે. કોર્સ કોઓર્ડિનેટર સામે આક્ષેપો થયા બાદ આ પગલાં લેવામાં આવ્યા હતા.
કોઓર્ડિનેટર અને ફેકલ્ટી મેમ્બરને હટાવ્યા બાદ નવી સિસ્ટમ હજુ મુકવાની બાકી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, વર્ગો નિયમિતપણે ચલાવવામાં આવતા નથી કારણ કે ફેકલ્ટી સભ્યો ખાલી દેખાતા નથી. વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી GUના હોદ્દેદારોને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમાં સફળતા મળી નથી.
અહીં સ્પષ્ટપણે દેખાય છે કે સેલ્ફ ફાઇનાન્સના ધોરણે ચાલતા અભ્યાસક્રમો પર યુનિવર્સિટી કેવી દેખરેખ રાખે છે અને કેવું વલણ અપનાવે છે. તેની સાથે તેમા હાથ ઊંચા કરીને કોન્ટ્રાક્ટર કે જેને આ કોર્સ ચલાવવા આપ્યા હોય તેના પર જવાબદારી ઢોળી દેતા યુનિવર્સિટી ખચકાતી નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ