સરકારે બજેટ(Budget 2024) સત્ર પહેલા મંગળવારે સંસદ(Parliament)માં વિવિધ પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી છે. આ એક પરંપરાગત બેઠક છે જે દર વર્ષે બજેટ(Budget) સત્ર પહેલા યોજાય છે. આ બેઠકમાં સરકાર રાજકીય પક્ષો સાથે સંસદમાં ઉઠાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તેમજ સરકાર તેમને તેના એજન્ડા વિશે માહિતી આપે છે અને તેમનો સહયોગ માંગે છે.
સીતારમણ(Nirmala Sitharaman) રજૂ કરશે વચગાળાનું બજેટ
લોકસભા ચૂંટણી(Lok Sabha Elections) પહેલા આ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ(Finance Minister Nirmala Sitharaman) લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરશે. ચૂંટણી બાદ નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. ગયા વર્ષના બજેટ સત્રમાં બે ભાગોનો સમાવેશ થતો હતો, જેમાં લોકસભા અને રાજ્યસભા બંને માટે કુલ 25 બેઠકો હતી.
શું છે વચગાળાનું બજેટ(Interim Budget)?
દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોય ત્યારે નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરે છે. આ બજેટ કોઈપણ મુશ્કેલી વિના દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં મદદ કરે છે. આ બજેટ આખા વર્ષને બદલે આગામી નાણાકીય વર્ષના અમુક મહિનાઓને આવરી લે છે.
આ બજેટ સુનિશ્ચિત કરે છે કે સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમો અથવા સેવાઓ કોઈપણ અવરોધ વિના ચાલુ રહે. તમને જણાવી દઈએ કે આ બજેટમાં કોઈ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. આમાં, ભંડોળ માત્ર ચાલુ યોજનાઓ અથવા યોજનાઓ માટે ફાળવવામાં આવે છે.
જો સરળ ભાષામાં સમજીએ તો તે એક પ્રકારનું કામચલાઉ બજેટ છે. તે માત્ર બે મહિના માટે માન્ય છે પરંતુ જો જરૂર પડે તો તેની માન્યતા વધારી શકાય છે. વચગાળાના બજેટનો હેતુ નવી સરકારને સુરક્ષિત સ્થિતિ પ્રદાન કરવાનો છે જેથી તે સારી શરૂઆત કરી શકે.
આ પણ વાંચો:Budget 2024/કેપ્ટન નિર્મલા સીતારમણની ટીમ, 9 ચહેરાઓ, જેમના પર છે બજેટ 2024ની જવાબદારી
આ પણ વાંચો:Budget 2024/બજેટ 2024 : વર્ષ 2017થી બજેટ રજૂ કરવાની પરંપરામાં થયો બદલાવ, અગાઉ ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું હતું બજેટ
આ પણ વાંચો:Budget 2024/બજેટની તૈયારી અંતિમ તબક્કામાં, નાણામંત્રીની ટીમ આપી રહી છે આખરી ઓપ