અક્ષય કુમાર એક પછી એક પ્રોજેક્ટમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જોકે તેઓના કોરોના ના કારણે ઘણા ફિલ્મોના શૂટિંગ અટકી ગયા હતા તે હવે જલદી જ શરૂ થઇ રહ્યા છે. ત્યારે હવે અક્ષયકુમારની આવનારી ફિલ્મ બેલબોટમને લઇને એક અપડેટ જોવા મળી રહી છે .
જેમાં સૂત્રની વાત સાચી માનીએ તો, ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીએ અક્ષયને આ ફિલ્મ માટે ઓછી ફી લેવાની વિનંતી કરી હતી. જે અનુસાર, અક્ષયે પોતાની ફીમાં ૩૦ કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે પછીથી અક્ષયે ટ્વિટર પર આ વાતને લઇને રિએક્ટ કર્યું છે.
અક્ષયે આ સમાચારને સાવ ખોટા અને અફવાાં ખપાવ્યા છે. તેણે ટ્વિટ કર્યું છે કે, આ સ્કૂપ સદંતર પાયાવિહોણી છે અને એક માત્ર અફવા છે. અક્ષયની આ સ્પષ્ટતાથી તેણે ફીમાં ઘટાડો કર્યો હોવાની વાત સાવ ખોટી છે.
અક્ષય કુમાર આ ફિલ્મ ઉપરાંત, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રામ સેતુ અને સૂર્યવંશી જેવી ફિલ્મોને કારણે ચર્ચામાં છે.