National News/ ઉધયનિધિ સ્ટાલિનની ધરપકડ સામે ડીએમકેનો પલટવાર: વીડિયો એડિટ કરી અફવા ફેલાવ્યાનો દાવો

અભિનેત્રી તૃષા પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ ઉધયનિધિ સ્ટાલિનની(Udhayanidhi) ધરપકડ થઈ છે. ડીએમકે પક્ષે આ કાર્યવાહીને બદલાની ભાવના ગણાવી છે. જાણો વિગત.

Top Stories NATIONAL India
Udhayanidhi

Udhayanidhi Stalin Arrested Controversy Update:  તમિલનાડુમાં એક્ટ્રેસ તૃષા કૃષ્ણન પર આપત્તિજનક ટિપ્પણીના કેસમાં વિપક્ષના નેતા અને DMK ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિન(Udhayanidhi) વિવાદના કેન્દ્રમાં આવી ગયા છે. તંજાવુર પોલીસએ તેમને ચેન્નઈના નિલાંકરાઈ સ્થિત તેમના નિવાસસ્થાનેથી હિરાસતમાં લઈ તંજાવુર પહોંચાડ્યા, જ્યાં કાવેરી વિરોધ સભામાં આપેલા ભાષણને લઈને નોંધાયેલી FIR પર પૂછપરછ થઈ રહી છે. આરોપ છે કે તેમણે CM વિજય અને તૃષા વચ્ચેની મિત્રતા પર ડબલ અર્થ ધરાવતી ટિપ્પણી કરી.

 “પાણી ત્યાં પહોંચવું જોઈએ” – વિવાદિત વાક્ય

વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે રેલી દરમ્યાન ભીડમાંથી “તૃષા, તૃષા”ના નારા ઉઠ્યા અને ઉદયનિધિએ હળવાશમાં કહ્યું, “પાણી ક્યાંય પહોંચે કે ન પહોંચે, ત્યાં પહોંચવું જોઈએ,” બાદમાં તેમણે કહ્યું કે તેઓ કાવેરી પાણી અંગે વાત કરી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરસ થતા વિરોધીઓએ તેને તૃષા પર વલ્ગર ટિપ્પણી તરીકે રજૂ કર્યો. ઉદયનિધિનો દાવો છે કે તેમના શબ્દોને કાપીને, એડિટ કરીને “cut, copy, paste” મારફતે ખોટી કહાની બનાવવામાં આવી છે.

Udhayanidhi

ઉદયનિધિનો પ્રતિસાદ અને કાનૂની લડત

ઉદયનિધિ (Udhayanidhi) કહે છે, “હું આવો માણસ નથી કે આ બધાથી ડરી જઉં, હું આનો કાનૂની રીતે સામનો કરીશ,” અને તેઓ પોલીસની કાર્યવાહી ને “મજાક” કહે છે. તેમ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61, 79, 192, 196, 296(b), 351(2), 352, તેમજ તમિલનાડુ મહિલાઓના ઉત્પીડન નિષેધ અધિનિયમની કલમ 4 અને IT અધિનિયમની કલમ 67 હેઠળ કેસ નોંધાયો છે, જે જાહેર શિસ્ત ભંગ, સ્ત્રીની લાજ ભંગ અને ઑનલાઇન અશ્લીલ/ગેરમાર્ગે દોરતી સામગ્રી જેવા ગુનાઓને લગતા છે.

DMKનો આરોપ – “બદલાની રાજનીતિ

DMKએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ધરપકડને “બદલાની રાજનીતિ” ગણાવી છે. પાર્ટીનું કહેવું છે કે કાવેરી પાણી મુદ્દે ખેડૂતો પરેશાન છે, પરંતુ સરકાર પાસે કોઈ જવાબ નથી, તેથી વિપક્ષના નેતાને નિશાન બનાવી અનર્ગળ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. તેમનો તર્ક છે કે ઉદયનિધિની (Udhayanidhi) ટિપ્પણી કાવેરી નદીના જળ સંદર્ભમાં હતી, તેનો ખોટો અર્થ કાઢીને તૃષા પર ટિપ્પણી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે. DMKએ એ પણ પૂછ્યું છે કે જો કાયદો બધાને બરાબર છે, તો DMK સામે ભદ્દી ટિપ્પણીઓ કરનાર CM વિજય અને TVKના અન્ય નેતાઓ સામે કાર્યવાહી કેમ નથી થતી.


આ પણ વાંચો: ઉધયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદન પર મોટો રાજકીય હોબાળો; હાઇકોર્ટમાં કરી જામીન અરજી

આ પણ વાંચો:બ્રિજભૂષણ શરણ સિંહને કોર્ટમાંથી રાહત, વિનિશ ફોગાટનો આક્ષેપ- ‘આખું તંત્ર તેમને બચાવવામાં લાગેલું હતું’

આ પણ વાંચો: NEET વિરોધ પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી; પોલીસ અને અપરાધિક તત્વો બંને પર નજર