News/ ડોક્ટરો બન્યા યુવાન માટે ફરિશ્તા , નવુજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે એક 18 વર્ષના યુવાને થયેલી  દુર્લભ બિમારીની જટિલ સારવારમાં સફળતા મેળવી વધુ એક વાર ઇતિહાસ રચી દીધો છે. આ યુવક સમગ્ર દુનિયામાં માત્ર 2.5 ટકા લોકોમાં જ જોવા મળતી સ્કોલિઓસિસ નામની બિમારીનો ભોગ બન્યો હતો. આજથી ત્રણ વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રહેવાસી અભય રાદડિયાનું જીવન અન્ય બાળકોની જેમ જ ખેલકૂદ, […]

Ahmedabad Gujarat
IMG 20210226 WA0043 ડોક્ટરો બન્યા યુવાન માટે ફરિશ્તા , નવુજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે એક 18 વર્ષના યુવાને થયેલી  દુર્લભ બિમારીની જટિલ સારવારમાં સફળતા મેળવી વધુ એક વાર ઇતિહાસ રચી દીધો છે. આ યુવક સમગ્ર દુનિયામાં માત્ર 2.5 ટકા લોકોમાં જ જોવા મળતી સ્કોલિઓસિસ નામની બિમારીનો ભોગ બન્યો હતો. આજથી ત્રણ વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લાના ભેંસાણના રહેવાસી અભય રાદડિયાનું જીવન અન્ય બાળકોની જેમ જ ખેલકૂદ, અભ્યાસ અને રમતગમતમાં સામાન્ય રીતે વિતી રહ્યું હતું.

IMG 20210226 WA0042 ડોક્ટરો બન્યા યુવાન માટે ફરિશ્તા , નવુજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ

3 વર્ષ પહેલા 15 વર્ષની વયે અભય ખેલકૂદમાં પણ સક્રિય હતો. પરંતુ વિધાતાએ અભય માટે કોઇ અલગ જ પ્રકારની વેદનાની સ્યાહીથી લેખ લખ્યા હતાં! અભય એના પરિવાર સાથે રાજીખુશીથી જીવન વિતાવી રહ્યો હતો, પણ તેને ખબર નહોતી કે પારાવાર પીડા તેની તરફ બિલ્લીપગે એક ખંધા શિયાળની જેમ આગળ વધી રહી હતી. અભય રાદડિયાને જન્મથી જ કમરના મણકામાં વધારે પડતો વળાંક હતો. ધીરે ધીરે આ સમસ્યા વકરવા લાગી. ખેલકૂદમાં રસ ધરાવતા અભયને હવે તો હલનચલનમાં તથા રમતગમતમાં તકલીફ થવા લાગી હતી.

 

અભયના પરિવારે આના નિવારણ માટે ઘણી બધી ખાનગી હોસ્પિટલ તથા ઓર્થોપેડિક ડોક્ટર્સનો સંપર્ક કર્યો હતો. પરંતુ ક્યાંય સંતોષકારક સારવાર મળી ન હતી. છેવટે જે ક્યાંય શક્ય ન બન્યું એને અમદાવાદ સિવિલના સ્પાઇન સર્જનની ટીમે શક્ય બનાવ્યું!  અભય સારવાર માટે સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં દાખલ થયો. જ્યાં X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે અભયને સ્કોલિયોસિસ (scoliosis ) નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. જેમાં કમરનાં મણકાંમાં સામાન્ય કરતાં વધારે વાંકા થઇ જાય છે જેના લીધે હલનચલન પર અસર થાય છે.અભયના કિસ્સામાં જ્યારે તે 3 વર્ષ પહેલા સારવાર માટે અમદાવાદ સિવિલમાં આવ્યો ત્યારે  વય પણ એક અવરોધરૂપ પરિબળ હતું. સ્કોલિયોસિસ બિમારીના ઓપરેશન માટે દર્દીની વય પુખ્ત વય જેટલી હોવી જરૂરી છે.

IMG 20210226 WA0041 ડોક્ટરો બન્યા યુવાન માટે ફરિશ્તા , નવુજીવન મળતા પરિવારજનો ખુશખુશાલ

આ એક ટેક્નિકલ આવશ્યક્તા હતી, તેથી અભયના પરિવારે ઓપરેશન માટે 3 વર્ષ રાહ જોવી પડી હતી. અભય 18 વર્ષનો થઈ ગયા બાદ ઓપરેશન શક્ય થયુ હતું. આખરે જેની અભયનો પરિવાર 3 વર્ષથી કાગડોળે રાહ જોતો હતો તે ઘડી આવી પહોંચી અને ઓપરેશનનો નિર્ણય કર્યો.સમગ્ર દુનિયામાં સ્કોલિયોસિસ બિમારીનું પ્રમાણ માત્ર 2.5% છે. જ્યારે ભારતમાં આ બિમારીનું પ્રમાણ 0.4% છે. સામાન્ય રીતે આ બિમારી છોકરાઓમાં વધુ જોવા મળે છે. આ બિમારીથી પીડાતા બાળકોને સામાન્ય જીવનમા અગવડતા પડતી હોય છે. જો યોગ્ય સમયે તબીબી સારવાર ના મળે તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામ આવતા હોય છે. મોટા ભાગે આ બિમારી ડોર્સલ (dorsal) લેવલ 60- 65 % ઉપર જોવા મળતી હોય છે. પરંતુ (lumbar) લેવલ ઉપર આ બિમારીનું પ્રમાણ ઓછું એટલે કે 35-40% જેવું જોવા મળે છે.