@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ધ્રાંગધ્રાનાં જેગડવા અને રાજગઢમાં ખનીજ ચોરી અંગે દરોડા પાડ્યા હતા. જેમા સફેદ માટીનું ગેરકાયદેસર રીતે ખનન કરતા બે હિટાચી મશીન રૂપિયા 65 લાખનાં પકડાયા હતા. ધ્રાંગધ્રા પંથકમાં મળી આવતી સફેદ માટીની સીરામીક ઉદ્યોગમાં ભારે માંગ રહે છે. આથી આ માટીની બેફામ ચોરી થાય છે.
ત્યારે મંગળવારે ખાણ ખનીજ અધિકારી વિજય સુમેરા, કિરણ પરમાર સહિતનાઓએ ધ્રાંગધ્રા તાલુકાના જેગડવામાં ડ્રોનની મદદથી સફેદ માટીનું ગેરકાયેસર ખનન ઝડપી લીધુ હતુ. જેમાં ધ્રાંગધ્રાના રણજીતભાઇ પઢીયારની માલીકીનું રૂપિયા 35 લાખનું હિટાચી મશીન જપ્ત કરી જેગડવા ગ્રામ પંચાયતને સોંપાયુ છે. આ ઉપરાંત વધુ તપાસ કરતા રાજગઢ ગામેથી ધ્રાંગધ્રાના મહેશભાઇ રબારીની માલીકીનું હીટાચી મશીન પણ જપ્ત કરાયુ હતુ. રૂપિયા 30 લાખની કિંમતના આ મશીનને રાજગઢ ગ્રામ પંચાયતને સોંપાયુ છે.
Gujarat: ગોંડલમાં વ્યાજખોરો બન્યા બેફામ…
Surat: મહિલા સફાઈ કર્મચારીનું ચાલુ ટ્રેક્ટરે પડી જતા કરુણ મોત…
Suicide: એવું તો શું થયું કે, પહેલા જાતને સળગાવી અને બાદમાં પાંચમા મા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…