ગુજરાત માં કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે .વધતા જતા સંક્રમણને લઈને સરકાર દ્વારા ૫ મે સુધી ૨૯ જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુ સિવાય ની બજારો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે .આ ઉપરાંત સરકાર દ્વારા કામ સિવાય ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવા માં આવી છે. વધતા જતા સંક્મણને લઈને અમુક જીલ્લાઓ માં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાયુ છે.
વધતા જતા સંક્રમણનેલઈને સાણાના વિસનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન 9 મે સુધી લંબાવાયુ છે .જેમાં દૂધની દુકાનો સવારે 2 કલાક -સાંજે 2 કલાક ચાલુ રહેશે. કરિયાણાની દુકાનો બપોરે 12 થી 3માં ફક્ત હોમ ડિલેવરી આપી શકશે
આ ઉપરાંત ખેડાના કપડવંજમાં 7 દિવસનું લંબાવાયુ લોકડાઉન લંબાવાયુ છે .જેમાં દૂધ, શાકભાજી, ફ્રૂટના વ્યાપારીઓને આંશિક છૂટછાટ આપવામાં આવશે .તેમજ મેડીકલ સેવાઓ 24/7 અવિરત ચાલુ રહેશે .વધતા જતા સંક્રમણને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે .
ખેડા કઠલાલમાં સ્વૈચ્છિક લોકડાઉન 6 મે લંબાવાયુ છે .જેમાં દૂધ, શાકભાજીના વેપારીઓને 2 કલાક સમય અપાયો છે .તેમજ કઠલાલમાં મેડિકલ સુવિધા 24 કલાક ચાલુ રહેશે.
હિંમતનગરમાં પણ 5 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન લંબાવ્યું છે જેમાં કોરોના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે .શહેરમાં 5 મે સુધી તમામ વેપાર ધંધા બંધ રહેશે.