દ્વારકા,
સ્વાઈન ફ્લૂથી વધુ એક મહિલાનું મોત નીપજ્યુ. દ્વારકાની 48 વર્ષીય મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ. સ્વાઈન ફલૂને અટકાવવા તંત્ર નિષ્ફળ છે.
જી.જી.હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 11 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે સ્વાઇન ફ્લુનો કહેર વધી રહ્યો છે.
ત્યારે વધુ એક મહિલાનું મોત નીપજતા ચકચાર મચી હતી. ત્યારે રાજકોટમાં પણ સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે. વધુ એક દર્દીનું મોત થયુ. 68 વર્ષીય વૃધ્ધનું મોત થયુ. પોરબંદરના વૃધ્ધનું મોત નીપજ્યુ. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મોત થયુ. ત્યારે હવે સ્વાઇન ફ્લૂથી મૃત્યુઆંક 86 પહોંચ્યો છે.