રાજકીય/ રાજ્યમાં યોજાઈ શકે છે વહેલી ચૂંટણી, જાણો શું છે વ્યૂહ રચના

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી બે મહિનામાં યોજાઈ શકે છે. જ્યારે ચૂંટણીલક્ષી જાહેરનામું એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં જાહેર કરી શકાય છે તો પંદર મે ની આસપાસ મતદાન થઇ શકે છે.

Top Stories Gujarat
sinh 1 2 રાજ્યમાં યોજાઈ શકે છે વહેલી ચૂંટણી, જાણો શું છે વ્યૂહ રચના
  • ગુજરાતમાં વહેલી ચૂંટણીને લઈ સમાચાર
  • મે મહીનામાં થઈ શકે છે ગુજરાતની ચૂંટણી
  • એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં જાહેરનામું
  • 15 મે ની આસપાસ ગુજરાતમાં થઈ શકે મતદાન
  • દરેક જિલ્લાના કલેક્ટરે શરૂ કરી તૈયારી
  • સરકારી કચેરીઓના સ્ટાફની મંગાવી માહિતી
  • વડાપ્રધાન મોદી 21 એપ્રિલે આવશે ગુજરાત
  • રાજકોટના સાંધ્ય દૈનિકના હવાલાથી ખબર

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . તો રાજકીય વર્તુળોમાં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાયો તે સંદર્ભે ચર્ચાઓ ચાલી રહી હતી.  જોકે હાલમાં મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાઈ શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી બે મહિનામાં યોજાઈ શકે છે. જ્યારે ચૂંટણીલક્ષી જાહેરનામું એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં જાહેર કરી શકાય છે તો પંદર મે ની આસપાસ મતદાન થઇ શકે છે.

દરેક જિલ્લા કલેકટર કચેરીએ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારી કચેરીઓના સ્ટાફની માહિતી પણ મંગાવી લેવામાં આવી છે. આ બધી દોડધામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૧ એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાજકીય વર્તુળોમાં ચૂંટણી વહેલી યોજાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

અત્રે નોંધનીય છે કે પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો ને ભાજપ ગુજરાતમાં એનકેસ કરવા માંગે છે. જ્યારે અન્ય પક્ષોને પૂરતી તૈયારી નો મોકો પણ ન મળે તેવી વ્યૂહ રચના ઘડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.  પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ તરત જ બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં બે મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને ત્યારથી આ કાર્યક્રમને ચૂંટણીના પ્રચારના ભાગરૂપે જોવામાં આવી રહ્યો હતો. અને ત્યારથી જ લોકોએ ચૂંટણી અંગેની અટકળો પણ શરૂ કરી દીધી હતી.

તોપખાના, 1735 લડાયક વાહનોને પણ નષ્ટ કર્યા છે.

ગુડી પડવો / 2 એપ્રિલના રોજ ઉજવાશે ગુડી પડવો, જાણો આ દિવસનું મહત્વ અને શુભ સમય

આસ્થા / રાજાએ વડીલોને રાજ્યમાંથી હાંકી કાઢ્યા, પણ એક પુત્રએ પિતાને છુપાવી દીધા, પછી થયું એવું કે… 

આસ્થા / સતત ધનની ખોટ કે કામનો બોજ વધી રહ્યો છે તો આ ગ્રહ બની શકે છે કારણ, જાણો ઉપાયો

આસ્થા / 31 માર્ચે હિન્દુ પંચાંગની છેલ્લી અમાવસ્યા, જો તમે પિતૃ દોષથી પરેશાન છો તો આ ઉપાયો કરો

Life Management / ગુરુએ શિષ્યને પાણી લાવવા કહ્યું, ઝરણાનું પાણી ગંદુ જોઈને તે પાછો ફર્યો, ગુરુએ તેને ફરીથી મોકલ્યો ત્યારે…