મુંબઈ
યશરાજ ફિલ્મ્સ વાળા કહી ચુક્યા છે કે તેઓએ હાલ ધૂમ-4ને લઈને કોઈ પ્લાનિંગ કર્યું નથી પરંતુ આ ફિલ્મ વારવાર ચર્ચામાં આવી જાય છે. બોલિવૂડ આશરે બધા સુપરસ્ટારના વિશે કહેવામાં આવ્યું છે કે તે ફિલ્મ ધૂમ-4માં કામ કરવા જઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ પ્રકારની પુષ્ઠી થઇ નથી.
હવે એકવાર ફરી ધૂમ-4ને લઈને ચર્ચા છે. આ વખતે અર્જુન કપૂરને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે કે જેમની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ 18 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે.
અર્જુન કપૂરને યશરાજ ફિલ્મ્સે જ લોન્ચ કર્યા છે. ફિલ્મ ‘ઈશ્કઝાદે’ હતી. હવે આ બેનર હેઠળની મોટી ફિલ્મ પર અર્જુન કપૂરની નજર છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુન કપૂરને સવાલ કરવામાં આવ્યો કે તેઓ કઈ ફ્રેન્ચાઇઝીનો ભાગ બનવા માંગે છે તો અર્જુનને તરત જ જવાબ આપ્યો કે ધૂમ સીરીઝ. તેઓ કહ્યું કે ધૂમ-4 માં કામ કરવા માંગું છું.
અર્જુનનું કહેવું છે કે ધૂમ એવી ફ્રેન્ચાઇઝી છે. જેને બધું જ બદલી દીધું છે. આ પ્રકારની ફિલ્મને હોલિવૂડમાં સમર બ્લોકબસ્ટર કહેવામાં આવે છે. આ ફિલ્મમાં એક્શન, રોમાંસ, ટ્વિસ્ટ છે અને આ રીતની મનોરંજક ફિલ્મમા કામ કરવા માંગું છું.
આ વાત અર્જુન કપૂરે તો બોલી દીધી છે. યશરાજ ફિલ્મ્સ સુધી પહોંચી ગઈ હશે. પરંતુ શું અર્જુનનું સ્ટારડમ એટલું મોટું છે કે તેઓ ધૂમ-4નો ભાગ બનશે? અભિષેક બચ્ચનની જગ્યા જરૂર લઇ શકે છે. હાલતો આ ફિલ્મના અર્જુન સપના જોઈ રહ્યા છે અને મજા માણી રહ્યા છે.