મુંબઇ,
કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મંગળવારે, ફિલ્મનું બીજું ગીત રિલિઝ કરવામાં આવ્યું છે.’ભારત યે રહના ચાહીએ’ સોંગમાં રાની લક્ષ્મીબાઇના જીવનના સફરને બતાવામાં આવ્યું છે. પ્રસૂન જોશી દ્વારા લખાયેલ આ ગીત ભારતના માટે સમર્પણથી ભરેલું છે. શંકર એહસાન લોયે ગીતને સંગીત આપ્યું છે.
મંગળવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ‘મણિકર્ણિકા‘નું નવું ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રસૂન જોશી પણ કાર્યક્રમમાં કંગના સાથે હાજર રહ્યા હતા. આ ગીત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રિલીઝ કરાયું હતું. લક્ષ્મી બાઈનું બાળપણ આ નવા ગીતમાં જોવા મળે છે અને બ્રિટીશ સાથેની તેમની લડત પણ જોવા મળી રહી છે.
આપને જણાવી દઈએ કે ‘મણિકર્ણિકા મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ 25 જાન્યુઆરીના રોજ રીલી થવા જઈ રહી છે. આ ફિલ્મથી ‘પવિત્ર રિશ્તા’ની ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે મોટા પડદા પર ડેબ્યુ કરી રહી છે.