તાજેતરમાં જ ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરી લીધી હતી. ટીવી જગત કુશળના મોતના ગમથી બહાર પણ આવ્યું પણ નહતું. કે અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી લીધી. કુશાલ અને સેજલ બાદ હવે 26 વર્ષીય કન્નડ પ્લેબેક સિંગર સુષ્મિતા રાજેએ તેના માતાપિતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે.
મળતી માહિતી મુજબ સુષ્મિતાએ બેંગ્લોરમાં તેના માતા-પિતાના ઘરે સીલીંગ ફેનથી લટકીને આત્મહત્યા કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુષ્મિતા પર દહેજ માટે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. એક વેબસાઇટના સમાચારો અનુસાર સુષ્મિતાએ સુસાઇડ કરતા પહેલા તેની માતાને એક મેજેસ મોકલ્યો હતો.
તેની માતાને મોકલેલા મેસેજમાં સુષ્મિતાએ કહ્યું, ‘તેને (સુસ્મિતાના પતિ) એમ જ નહીં છોડો. માફ કરશો મેં તેમને વિનંતી કરી કે મને ત્રાસ ન આપવો, પરંતુ તેણે ક્યારેય ધ્યાન આપ્યું નહીં. મને મારા કાર્યો બદલ સજા કરવામાં આવી. ‘ આપને જણાવી દઈએ કે સુષ્મિતાએ આશરે એક વર્ષ પહેલા એક પ્રાઇવેટ સેરેનીમાં શરથ કુમાર સાથે લગ્ન કર્યા હતા.
સુષ્મિતા રવિવારે રાત્રે તેની માતાના ઘરે આવી હતી અને ઘરે આવ્યા બાદ તેણે રાત્રિભોજન કર્યું હતું અને તેની માતા અને નાના ભાઈ સચિન સાથે વાત કરી હતી. આ પછી તે સુઈ ગઈ હતી અને રાત્રે લગભગ 1 વાગ્યે તેણે વ્હોટ્સએપ પર તેની માતા અને ભાઈને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે તેના પતિ અને સબંધીઓના કારણે તે ખરાબ સમયમાં પસાર થઈ રહી છે અને આત્મહત્યા કરી રહી છે. સુષ્મિતાના ભાઈએ આ સંદેશ સવારે 5:30 વાગ્યે જોયો અને તે તેના રૂમમાં દોડી ગયો, જ્યાં સિંગર દુપટ્ટાથી લટકતી મળી આવી હતી.
સુસ્મિતાની માતા મીનાક્ષીએ તેના પતિ અને સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક પજવણી (માનસિક અને શારીરિક પજવણી) નો કેસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.