રાજ કપૂરના 70 વર્ષ જુના આર. કે. સ્ટુડિયો ને વેચવાની કવાયત શરુ થઇ ગઈ છે. મુંબઈના ચેમ્બુર સ્થિત આ સ્ટુડિયોને કપૂર પરિવારે વેચવાનું મન બનાવ્યું છે. હકીકતમાં, છેલ્લા ઘણા સમયથી આ સ્ટુડિયોમાં ખુબ ઓછું કામ થતું હતું, અને આટલા રોકાણ બાદ પણ આ સ્ટુડિયોને વધારે લોકો શૂટિંગ માટે ભાડા પર લેતા નહતા.
આ સ્ટુડિયો ફાયદા ચાલતો નહતો. એટલા માટે કપૂર પરિવારે મળીને આ ફેંસલો કર્યો છે. આ સ્ટુડિયો 2 એકર જમીન પર બનાવવામાં આવ્યો છે. રાજ કપૂરની મોટાભાગની ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું હતું. આર. કે. સ્ટુડિયો ના ચાલવાનું કારણ એ પણ છે કે આ મુંબઈના એ વિસ્તારમાં આવેલો છે, જ્યાં હવે શૂટિંગ ખુબ ઓછું થાય છે.
મોટાભાગનું શૂટિંગ વેસ્ટર્ન લાઇન્સના ફિલ્મસિટીથી લઈને અન્ય જગ્યાઓ પર થાય છે. આર. કે. સ્ટુડિયો હાર્બર લાઈન પર આવેલો છે. એટલે લોકો શૂટિંગ માટે આટલા દૂર આવવા નથી માંગતા. કપૂર પરિવારે આ પ્રોપ્રર્ટીને વેચવા માટે બિલ્ડર, કોર્પોરેટ્સ અને ડેવલપર્સના સંપર્કમાં છે, અને બને એટલું જલ્દી વેચવાની તૈયારી થઇ રહી છે. ગયા વર્ષે સ્ટુડીઓમાં આગ લાગી ગઈ હતી, જેથી ખુબ નુકસાન થયું હતું.
આર. કે. સ્ટુડિયો વેચવાનો ફેંસલો કપૂર ખાનદાન માટે સરળ નહતો. એક રિપોર્ટ મુજબ ઋષિ કપૂરે કહ્યું કે અમે અમારા દિલ પર પથ્થ્થર રાખ્યા છે. છાતી પર પથ્થર રાખીને, સમજી વિચારીને આ ફેંસલો લીધો છે. હવે, જોવાનું એ છે કે રાજ કપૂર દ્વારા બનાવવામાં આવેલો આ સ્ટુડિયો ઇતિહાસ બનીને રહી જાય છે, કે નવું જીવનદાન મળે છે.