એલપીજી સિલિન્ડરના ભાવ વધારાને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. મંગળવારે એલપીજીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કિંમતોમાં વધારા બાદ કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ 11 વર્ષ જુનું ટ્વીટ શેર કરીને બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. રણદીપ સુરજેવાલાએ શેર કરેલી સ્મૃતિ ઈરાનીની ટ્વિટ 24 જૂન, 2011ની છે. ત્યારે કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી અને ભાજપ વિપક્ષમાં હતો.
સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું હતું કે, એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે અને તેઓ (યુપીએ) પોતાને આમ આદમી કી સરકાર કહે છે. તે શરમજનક છે. હવે આ ટ્વીટ શેર કરતા રણદીપ સુરજેવાલાએ લખ્યું કે શરમ કરો, જરા વિચારો.
રણદીપ સુરજેવાલાએ મોંઘવારી અંગે અનેક ટ્વિટ કર્યા, જેમાં તેમણે ભાજપ સરકારને ઘેરી અને કહ્યું કે ‘જનલૂટ યોજના’ ચાલી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો, ખેડૂતો સહિત મધ્યમ વર્ગ-નોકરીના વ્યવસાયને લૂંટવો એ હવે સરકારનો ધર્મ છે. વિરોધ થશે તો ફિલ્મ બતાવીશું, ધર્મ અને જાતિ પાછળ છુપાવીશું.
આ પણ વાંચો:“ખેડૂતોની જમીન લૂંટવાનું ષડયંત્ર છે”, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લગાવ્યો આરોપ
આ પણ વાંચો:બંગાળમાં 8 લોકોના મોતનો મામલો ગરમાયો, રાજ્યપાલની ટિપ્પણીથી મમતા બેનર્જી નારાજ