મુંબઇ,
અભિનેત્રી રિચા ચડ્ડાનું કહેવું છે કે જાતીય ગુનાઓ સામે અવાજ ઉઠાવા પર એટલા લાંછન લગાવામાં આવે છે કે ક્યારે ક્યારે સૌથી બહાદુર મહિલા માટે પણ તેના વિશે બોલવું અશક્ય થઇ જાય છે.
ગયા વર્ષે, ભારતીય પ્રેક્ષકોએ ‘લવ સોનિયા’ ફિલ્મમાં રિચાને જોઈ હતી. જે માનવ દાણચોરીના મુદ્દાથી સંબંધિત છે. તબરેજ નૂરાનીના નિર્દેશનમાં બની આ ફિલ્મ ગયા અઠવાડિયે બ્રિટેનમાં રિલીઝ થી હતી. સોમવારે રિચાએ વિક્ટોરિયા ડિબીર્શાયર દ્વારા આયોજિત એક શોમાં હાજરી આપી હતી.તેને આહીં ઘણા મુદ્દાઓ પર વાત કરી જેમાં જાતીય સતામણી સામે મીટુ આંદોલન પણ સામેલ હતું.
રિચાએ કહ્યું, ‘આ દુઃખની વાત છે કે જે સ્ત્રીઓએ આ વિશે પર સામે આવીને પોતાનો અવાજ ઉઠાવ્યો, તેમાંના ઘણી મહિલાઓને જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની ઘમકી આપવામાં આવી છે. કેટલીક સ્ત્રીઓથી તેમની જીવનશૈલી છિનવી લેવામાં આવી છે.
તેણે કહ્યું કે, “મુખ્ય રૂપથી મુદ્દો ઇચ્છા અને સંમતિનો છે. આવા ઘણા કિસ્સાઓ છે જ્યાં કોઈ સ્ત્રી કોઈની સાથે સુવા માટે સંમતિ આપવામાં આવી શકે છે. પરંતુ આ સંમતિ મજબુરીની પણ હોઈ શકે છે. ઘણી વાર સ્ત્રીનો દુરુપયોગ કરવામાં આવે છે કારણ કે જે વ્યક્તિ આમ કરે છે તે મોટી પોસ્ટ ધરાવે છે જેનો ઉપયોગ તે સ્ત્રી પર દબાણ કરવા માટે કરે છે.
તેણે આગળ કહ્યું કે આ માટે ખૂબ જ જરૂરી છે કે આપણે એક હકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ જેમાં મહિલાને તેમણી વાત કહેવામાં કોઈ સમસ્યા ના થાય.