મુંબઈ
રાજકુમાર હિરાનીની બાયોપિક ફિલ્મ “સંજૂ”ની ભવ્ય સફળતાએ સંજય દત્તના જીવનને પણ ચારચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મમાં સંજય દત્તનુ પાત્ર રણબીર કપુરે ભજવ્યુ હતું. સંજય દત્તના જીવન પર બનેલ ફિલ્મ સફળ થયા બાદ હવે તેની વેબ સીરીઝ બનવા જઈ રહી છે.
જી હા, તમને સાચું વાંચ્યું આ સીરીઝમાં અભિનેતાની જીંદગી સાથે સંકળાયેલા કેટલાક પાસાઓ રજુ કરવામાં આવશે. ફિલ્મ “સંજૂ”માં જ્યાં સંજય દત્તની જિંદગી સાથે સંકળાયેલ કેટલાક મહત્વના જ પાસા રજુ કરાયા હતા, ત્યારે વેબ સીરીઝમાં લોકો સંજય દત્તના જીવનને વધુ સારી રીતે જાણી શકશે. એક આંતરરાષ્ટ્રીય ડિઝિટલ પ્લેટફોર્મે આ વેબ સીરીઝને લઈ સંજય દત્ત પ્રોડક્શન સાથે સંપર્ક કર્યો છે. તે અભિનેતાના જીવન પર ત્રણ સીરીઝ બનાવવા માંગે છે જેથી લોકો તેમના જીવન અંગે વધુ સારી રીતે જાણી શકે.
આપને જણાવી દઈએ કે, સંજય દત્તના જીવન પર આધારીત ફિલ્મ “સંજૂ” બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. 29 જુને રિલીઝ થયેલ આ ફિલ્મે કમાણી મામલે નવા રેકોર્ડ સ્થાપિત કર્યા. ફિલ્મમાં સંજય દત્તનુ પાત્ર ભજવનાર રણબીર કપુરના અભિનયની સૌ કોઈએ પ્રશંસા કરી છે. ત્યારે જોવુ એ રહેશે કે સંજયની વેબ સીરીઝમાં ખૂદ સંજય દત્ત પાત્ર ભજવશે કે પછી અન્ય કોઈ અભિનેતા?