મુંબઇ
રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત “સંજુ“એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બ્રેક કર્યા છે. દર્શકો અને વિવેચકો તરફથી, ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો. છે પરંતુ એક વર્ગ એવો પણ છે જે સંજુ મૂવીને માત્ર સંજય દત્તની છબી સુધારવા માટે બનાવવામાં આવી હોવાનું કહે છે.
જો કે સંજુ ફિલ્મની નેગેટીવ બાજુ સોશિયલ મીડીયામાં વાઇરલ થયાં પછી હવે બીજા જાણીતા પ્રોડ્યુસર સંજય દત્તની બીજી બાયોપીક બનાવવા તૈયાર થયા છે.રીયાલીસ્ટીક ફિલ્મો બનાવવા માટે જાણીતા દિગ્દર્શક રામગોપાલ વર્માએ સંજુના જીવનની સચ્ચાઇ ઉજાગર કરતી ફિલ્મ બનાવવાની યોજના બનાવી છે.
એક રિપોર્ટ મુજબ, રામ ગોપાલ વર્મા સંજય દત્ત પર બીજી બાયોપીક ફિલ્મ બનાવશે. નામ હશે: સંજય: ધ રિયલ સ્ટોરી.
રિપોર્ટ અનુસાર, રામગોપાલ વર્મા આ ફિલ્મમાં માત્ર સંજય દત્તની AK–56 રાઇફલ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. ઇન્ટરવ્યૂમાં દિગ્દર્શકે આ સમાચાર પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું, “હા, હું ફિલ્મ બનાવી રહ્યો છું.”
સૂત્રોના જણાવ્યા મુજબ રામગોપાલ વર્માએ ફિલ્મ “સંજુ” જોઈ છે અને તેમને અભિનેતાની ઈમોશનલ જર્ની ખુબ જ પસંદ આવી, પરંતુ તે એક વસ્તુથી નિરાશ થયા. તેઓ ફિલ્મની વાર્તાથી નાખુશ છે કેમ કે ફિલ્મની સ્ટોરી 1993 ના બ્લાસ્ટના બ્રેકડ્રોપ સુધી મર્યાદિત છે. સંજય દત્ત ડ્રગ્સ લે છે, તેમની માતાના કેન્સરથી લડી રહ્યા છે અને તેમનું નિધન થઈ જાય છે, વન નાઇટ સ્ટેન્ડ જેવા ઘણા પાસાઓને ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ દર્શકો સંજય દત્તના બ્રેક્ગ્રાઉન્ડની એવી અજાણી વાતો જાણવા માગે છે, જે ફક્ત તેમને જ ખબર હોય.
માહિતી અનુસાર રામગોપાલની ફિલ્મમાં સંજય દત્તના જીવનની અંદરની વાતોનો ખુલાસો કરવામાં આવશે. જેમ કે સંજય દત્તના પરિવારજનોને ધમકીઓ કોણે આપી હતી કે કેવી રીતે હથિયારોને ડીલીવરી કરવામાં આવ્યા અને કેવી રીતે તેને નાશ થયો હતો.
આવી ઘણી અનટોલ્ડ સ્ટોરી રામગોપાલ વર્મા ઉજાગર કરશે. આ ફિલ્મના રીસર્ચ માટે રામગોપાલ વર્મા સંજય દત્તના નજીકના સંબંધીઓ અને તપાસ ટીમમાં સામેલ પોલીસ કર્મીઓને મળી રહ્યા છે.