મુંબઈ,
ફિલ્મોને અચાનક અલવિદા કહેનારી દંગલ ગર્લ ઝાયરા વસીમના નિર્ણય પર ઈન્ટરનેટ યુઝર્સને આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે યુવા એક્ટ્રેસનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક તો નથી થયું ને. જો કે, ઝાયરાએ સોમવારે આ દાવાઓને નકારતા ફિલ્મી જગતને છોડવાના તેના નિર્ણયને પુનરાવર્તિત કર્યો હતો.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રીએ રવિવારે અભિનયની દુનિયાને અલવિદા કહેવાની જાહેરાત કરતા કહ્યું હતું કે તે આ કામથી ખુશ એટલા માટે ખુશ નથી કારણે કે તે તેની આસ્થા અને ધર્મની વચ્ચે આવી આવી રહ્યું છે.
તેણે લોકોને કોઈ પણ અનુમાન લગવા માટે વિનંતી કરતા કહ્યું કે તે પોતે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ જુએ છે. 18 વર્ષની કશ્મીરી અભિનેત્રીએ ટ્વીટર પર લખ્યું કે “હું તે સ્પષ્ટ કરવા માંગુ છું કે મારું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું નથી અને આ પહેલાં પણ ક્યારેય થયું નથી કારણ કે હું તે જાતે જ જોઉં છું. કૃપા કરીને આવિ અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં અને તેને શેર કરવાથી બચો. આભાર.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.