મુંબઈ,
બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર આવનારી ૨૫ ફેબ્રુઆરીએ ૩૭ વર્ષના થઇ જશે. આ જન્મદિવસની ઉજવણી તેમના પરિવાર સાથે ઉજવવા માટેની તૈયારી શરુ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે હાલ શાહિદ કપૂર ઉત્તરાખંડમાં શ્રી નારાયણ સિંહની ફિલ્મ ‘ બત્તી ગુલ મીટર ચાલુ ‘ના શુટિંગમાં વ્યસ્ત છે.
શુટિંગમાંથી થોડો સમય કાઢીને તેઓ તેમના જન્મદિવસે મીરા અને મીશા સાથે દિલ્હી ઉજવણી કરવાના છે.
દિલ્હીમાં મીશા અને મીરા તો પહોચી ગયા છે, હવે માત્ર શહીદ કપૂરની જ રાહ જોવાઈ રહી છે. જન્મદિવસના બહાને શાહિદને તેના પરિવાર સાથે સમય ગાળવાનો મોકો મળી જશે.
મહત્વનું છે કે તેઓ બ્યાસમાં સત્સંગમાં ભાગ લેશે અને આ અવસર પર શાહિદ કપૂરના સાસુ બેલા રાજપૂત અને સસરા વિક્રમાદિત્ય રાજપૂત પણ હાજર રહેશે. આમ બ્યાસમાં સત્સંગમાં હાજર રહીને શાહિદ પોતાના જન્મદિવસની ઉજવણીની પરંપરા જાળવી રાખવા માંગે છે.
શાહિદનો જન્મદિવસનો પ્લાન એ અત્યાર સુધીના બોલીવુડ સેલિબ્રિટીના જન્મદિવસના સેલિબ્રેશન કરતા તદ્દન જુદો છે.
મહત્વનું છે કે, શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘ બત્તી ગુલ મીટર ચાલુ ‘ દ્વારા વીજળીની કરકસર કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કોમેડી ડ્રામા છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તરીકે શાહિદ કપૂર, યામિ ગૌતમ અને શ્રધ્ધા કપૂર નજરે જોવા મળશે.