અમિતાભ બચ્ચને KBCના છેલ્લા એપિસોડમાં પોતાના સરનેમ સાથે જોડયેલી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, તેમના પરિવારમાં બધાની સરનેમ શ્રીવાસ્તવ હતી.
પરંતુ તેમના પિતા હરિવંશરાય બચ્ચને જ્ઞાતિમાં ભેદભાવ પસંદ ન હતા.આ જ કારણ હતું કે, તેમણે નક્કી કર્યું કે, તે પોતાની નામ સાથે કોઈ સરનેમ નહિ લગાવે.
બચ્ચન સરનેમ કેવી રીતે આવી? બીગબીએ શોમાં જણાવ્યું કે, તેમના પિતાજીને ઘરમાં બધા બચ્ચા-બચ્ચા કહીને બોલાવતા હતા. તેથી તેમણે આ નામની જ પોતાની સરનેમ બનાવવાનો નિર્યણ લીધો અને તેમણું નામ હરિવંશરાય બચ્ચન પડી ગયું. તેના બાદ તેમની આવનારી જનરેશન આ જ સરનેમને આગળ વધારી હતી.