એક તરફ કોરોનાએ રાજ્ય અને દેશમાં ફરીથી માથું ઉચક્યું છે અને એ બીજી તરફ વરસાદી માહોલના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રોગચાળો વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં કોરોનાની સાથે અન્ય રોગો વધ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ રોગ ચાળો પગપસારો કરી રહ્યું છે.
રાજકોટ મનપા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સક્રિય થયું છે છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે. ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 312, તાવના 73 અને ઝાડા-ઊલટીના 84 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 14, મેલેરિયાના 8 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. રોગચાળોને ડામવા રાજકોટ મહાનગરપાલિકા પોરાનાશક ની કામગીરી અને ફોગિંગની કામગીરી કરી રહી છે. મચ્છરો વધુ હોય તેવા વિસ્તારોમાં નિયમિત ફોગીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જેમના મકાન અને દુકાનમાં મચ્છરોની ઉત્પત્તિ જોવા મળશે તેને નોટિસ ફટકારી કામગીરી પણ શરુ કરવામાં આવી છે. સાથે વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીનાં અનેક આગેવાનોએ કેસરિયા કર્યા ધારણ : ઝાડું છોડી ખીલાવશે કમળ