નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં મુંબઇ 26/11 ના આતંકી હુમલાએ હચમચાવી નાખ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ) મહમૂદ અલી દુર્રાનીએ સ્વીકાર કર્યો હતો કે, તેમના દેશના આતંકવાદી સગંઠન મુંબઇના 26/11 ના હુમલાને અંજામ આપ્યો હતો.
તેમના આ નિવેદનથી એક વાર ફરી આતંકવાદના મુદ્દા પર દુનિયા સામે પાકિસ્તાનનો ચહેરો બેનકાબ થઇ ગયો છે.
નવી દિલ્હીમા આયોજીત 19 માં એશિયાઇ સુરક્ષા સમ્મેલનમાં તેમણે કહ્યું કે, જમાત ઉદ દાવાના મુખ્યા હાફિજ સઇદ કોઇ કામનો નથી. પાકિસ્તાન સરકારે તેના વિરુદ્ધ કાર્યવાઇ કરવી જોઇએ.