Not Set/ ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું ઉત્તરપ્રદેશની ચૂંટણી પહેલા મોટા હિન્દુ નેતાની હત્યા કરવામાં આવશે,જીતવા માટે હિન્દુ-મુસ્લિમને લડાવશે

રાકેશ ટીકૈતની જાહેર સભાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દિવસભર એલર્ટ રહ્યું. પોલીસની દેખરેખ હેઠળ જાહેર સભા યોજાઈ હતી

Top Stories
રાકેશ

હરિયાણાના સિરસામાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે ભાજપ ખૂબ જ ખતરનાક પાર્ટી છે. ભાજપે પોતાના જ પક્ષના મોટા નેતાઓને તેમના ઘરોમાં કેદ કર્યા છે અને તેમના ઘરની બહાર પોલીસ તૈનાત કરી છે. તે હવે નિવેદન આપવા માટે પણ યોગ્ય રહ્યા નથી. યુપીમાં   હિન્દુ નેતા પર હુમલો  કરીને હિન્દુ મુસ્લિમને લડાવશે,આરએસએસથી જોડાયેલા લોકોએ આ પહેલાથી આયોજન કરી રાખ્યું છે.

રાકેશ ટીકૈતે કહ્યું કે જ્યારે પણ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થશે ત્યારે કોઈ મોટા હિન્દુ નેતાની હત્યા કરવામાં આવશે,તમે સંભાળજો  આરએસએસના લોકો તમને મારવા માટે કામ કરશે. ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીમાં ફરી હિન્દુ-મુસ્લિમોને કરાવવામાં આવશે. તેઓ કેટલાક મોટા હિન્દુ નેતાની હત્યા કરીને ચૂંટણી જીતવા માંગે છે.

સિરસામાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતની જાહેર સભાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દિવસભર એલર્ટ રહ્યું. પોલીસની દેખરેખ હેઠળ જાહેર સભા યોજાઈ હતી અને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા માટે આરએએફની એક કંપની પણ તૈનાત કરવામાં આવી હતી. 200 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે રૂટને પણ ડાયવર્ટ કરવો પડ્યો હતો. અહીં સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈત દ્વારા દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બપોરે 1:30 કલાકે મુખ્ય મહેમાન રાકેશ ટીકૈત કાર્યક્રમમાં પહોંચ્યા.

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે અડધા કલાકના ભાષણ દરમિયાન સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું અને કરનાલમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે તાલિબાનીઓ દેશમાં પ્રવેશવા લાગ્યા છે. તાલિબાન કમાન્ડર કરનાલમાં મળી આવ્યા છે અને તેંમના સાથીઓની શોધ ચાલુ છે. તેમણે કહ્યું કે ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોએ લોખંડના એંગલ  લગાવીને તેમના ટ્રેક્ટર તૈયાર રાખવા જોઈએ. ખેડૂતોના ટ્રેક્ટરોની ચર્ચા સમગ્ર દેશમાં થશે.

સરકાર પર પ્રહાર / કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીડીપીની નવી પરિભાષા સમજાવી જાણો…