ત્રણે કૃષિ કાયદાને પાછો ખેંચવા માટે દિલ્હીની જુદી જુદી જગ્યાઓ પર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ આંદોલનનો આજે 25 મો દિવસ છે. કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોએ કેન્દ્ર સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આજે આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ખેડુતોને યાદ કરવામાં આવશે. આજે દેશના તમામ જિલ્લાઓ અને ગામોમાં શ્રદ્ધાંજલિ સભાઓ યોજાશે. આ ઉપરાંત ખેડૂત આગેવાનો રાકેશ ટીકાઈટ અને વી.એમ.સિંઘે આજે સવારે 11 વાગ્યે મેરઠ કમિશનર અને વહીવટી અધિકારીઓને આમંત્રણ આપ્યું છે જેથી ખેડુતોની પરેશાની પર રોક લગાવી શકાય. જો આ સંવાદ નિષ્ફળ જાય તો તેમણે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે બંધ કરવાની ચેતવણી આપી છે.
કૃષિ કાયદાના વિરોધમાં ચીલ્લા સરહદ પર ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યથાવત છે ત્યારે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને સરહદ પર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે ખેડૂત આંદોલનને 25 દિવસ થયા છે, સરકાર કોઈપણ રીતે રસ્તો શોધી રહી નથી. જેમના માટે કાયદા બનાવવામાં આવ્યા છે, જો તેઓ પાલન કરવા તૈયાર ન હોય તો સરકારે કાયદો પાછો ખેંચવો જોઈએ. લોકશાહીમાં અહંકાર કરીને અને આંદોલનને વધારીને લોકો ઉપર કાયદો લાદવાનો નિયમ સારો નથી.
કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી-યુપી બોર્ડર પર છે, વિરોધીઓ કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. એક વિરોધકર્તાએ કહ્યું કે જો કાયદાઓ નાબૂદ કરવામાં આવે તો અમે બે કલાકમાં રવાના થઈ જઈશું. પંજાબની ઘણી હોસ્પિટલોનો મેડિકલ સ્ટાફ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોની મદદ માટે દિલ્હી-હરિયાણા સિંઘુ બોર્ડર પર પહોંચી ગયો છે. લુધિયાણાથી આવેલી નર્સ હર્ષદીપ કૌરે જણાવ્યું હતું કે તેઓ વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે આવ્યા છે, જો કોઈ બીમાર પડે તો તેમની મદદ કરવામાં આવશે.
addressed / પૂર્વ વડાપ્રધાનનાં જન્મદિવસ પર PM મોદી UP નાં ખેડૂતો સાથે કર…
Covid19 / ઇટાલીમાં નવા વર્ષમાં થઈ શકે છે લોકડાઉન, હરવા ફરવા પર રહેશે પ…
મહામારી બાદ આવશે સદીનું મહાબજેટ, નાણામંત્રીએ આપ્યા સંકેત
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…