@મુકેશ ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા
અમીરગઢ વિસ્તારના ખેડૂતો હવે સારી આવક માટે રાજસ્થાનમાં થતી સપલ ટીંડાની ખેતી કરી રહ્યાં છે. બાગાયતી ખેતી કરી સારો નફો મેળવી રહ્યાં છે.
બનાસાકાંઠના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો હવે સારી આવકના હેતું થી બાગાયાતી ખેતી તરફ વળી રહ્યાં છે. ખાસ કરીને અમીરગઢ વિસ્તારના ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યાં છે. જેમાં ઓછું રોકાણ અને વધુ નફો મેળવી રહ્યાં છે. અનાજ કઠોળ જેવી ખેતીમાં ખેડૂતોને રોગ આવવાનો ભય રહે છે જેને લઈને હવે ખેડૂતો હવે બાગાયતી ખેતી કરી આવક મેળવી રહ્યાં છે. ત્યારે અમીરગઢમાં કિકાભાઈ નામના ખેડૂતરાજસ્થાનમાં થતા સપલ ટીંડાની ખેતી કરી છે.
India / ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા…
કિકાભાઈએ રાજસ્થાનમાંથી બિયારણ લાવી અમીરગઢમાં ખેતી કરી. રાજસ્થાનમાં થતી સપલ ટીંડાની ખતીમાં રસ દાખવ્યો અને સારો પાક મેળવી રાજસ્થાનમાં વેપાર કરી સારી આવક મેળવી. શરૂઆતમાં તેમણે ત્રણ વિઘામાં વાવેતર કર્યું. અને સારી સફળતા પ્રાપ્ત થઈ. જેથી કરીને હવે વધારે પાકની તૈયારી કરી રહ્યા છે. વાવણી કર્યા બાદ માત્ર એક માસમાં જ પાક તૈયાર થઈ જતા ઓછા રોકાણ અને ઓછા સમયમાં વધુ આવક મેળવી રહ્યા છે.
Covid-19 / દુનિયા આખીને ડરાવતું UK, કોરોનાના નવા પ્રકારથી આખી દુનિયા ડર…
કિકાભાઈની સાથે અમિરગઢના ખેડૂતો પણ આ દિશામાં આકર્ષવા માટેની પહેલ કરી રહ્યાં છે. અને ઓછા ખર્ચે સારી આવક મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. રાજસ્થાનમાં વેચાતું આ શાક ગુજરાતમાં આનું વપરાશ નહિવત છે. માટે પાક તૈયારી કરી રાજ્સથાનમાં વેચી સારો નફો મેળવી રહ્યો છે.
Tharad / વગર મંજુરીએ ડાયરો કરી ખુશ થતા ધનજી પટેલ સામે આખરે તંત્ર એક્શ…
Kutchh / જીલ્લામાં કોરોનાં ગાઈડલાઈનનું ચુસ્ત અમલીકરણ કરાવાશે : પોલીસ …
India / આબુમાં સતત દસમા દિવસે હિમવર્ષા, દેશભરમાં કોલ્ડવેવની શક્યતા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…