બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસામાં આઘેડે ગાંધીગીરીના માર્ગે ચાલીને આમરણાંત ઉપવાસ કર્યો હતો. આ ઉપવાસ ડીસા સિવિલમાંથી આજુબાજુની સોસાયટીઓમાં જતો બંધ માર્ગ ખુલ્લો કરવા કર્યો હતો.
અગાઉ સિવિલથી જતો રસ્તો વહીવટી તંત્ર દ્વારા બંધ હાલ કરાયો છે. ડીસાની અંદાજીત 20 થી વધુ સોસાયટીઓ ના લોકો રસ્તો બંધ થતા પીડિત બન્યા છે.
ઉપવાસી ગોવિંદભાઈ ઠક્કરેએ ડીસામાં સરદાર પટેલ પ્રતિમા આગળ ધરણા -ઉપવાસ કર્યા છેં. .જયા સુધી રસ્તો નહીં ખુલે ત્યાં સુધી આમરણાંત ઉપવાસની જાહેરાત કર્યા છે. આ મામલે પોલીસને જાણ થતા. પોલીસે ગોવિંદભાઇ ઠક્કરની અટકાય કરી હતી.