અમદાવાદ/ સસરા પર પુત્રવધૂનો દુષ્કર્મનો આરોપ, એક વર્ષ બાદ ફરિયાદ નોંધાતા પોલીસ પણ મૂંઝવણમાં..!

અમદાવાદમાં સસરા અને પુત્રવધુનાં સંબંધોને કલંકીત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. 74 વર્ષના વૃધ્ધે દીકરી સમાન પુત્રવધુ પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાનો કરવઆ આવ્યો છે. શું છે અનાથ યુવતીની પીડા અને કેવીરીતે બહાર આવી આ ચોંકાવનારી કહાની…

Ahmedabad Gujarat
દુષ્કર્મ

અમદાવાદનાં નારણપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને નાનપણમાં જ માતા પિતાએ તરછોડી દીધી હતી. જેથી પીડિત મહેસાણામાં વિશ્વગ્રામ સંસ્થામાં 11 વર્ષ સુધી રહી અને વર્ષ 2012માં અમદાવાદ ખાતે આવેલ મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે આવી હતી. 2018 માં આશ્રમ દ્વારા તેના પહેલા લગ્ન ઊંઝા ખાતે રહેતા યુવક સાથે કરાવ્યા હતા, જોકે ઘર કંકાસ અને યુવતીને શારીરિક બીમારીનાં લીધે 2019માં તેના પહેલા પતિએ તેને છુટાછેડા આપતા વર્ષ 2020માં મહિપતરામ આશ્રમ દ્વારા ફરિયાદીનાં બીજા લગ્ન નારણપુરા ખાતે રહેતા યુવક સાથે કોર્ટ મેરેજ કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદથી જ સસરા દ્વારા તેના ઉપર ખરાબ દાનત રાખીને તે જ્યારે ઘરે એકલી હોય ત્યારે શારીરિક અડપલા કરવામાં આવતા હતા. જે બાબતની જાણ તેણે પતિને કરી પણ કરી હતી.

વર્ષ 2020 માં યુવતીને ગર્ભ રહેતા સાસુ-સસરા દ્વારા સમૂહ લગ્નમાં સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા.જે બાદ વર્ષ 2021માં એક દિવસ યુવતીનો પતિ તથા સાસુ નોકરી પર ગયા હતા, ત્યારે રસોડામાં કામ કરતા સમયે સસરાએ રસોડામાં પોતાની પાસે બેસવાનું કહેતા યુવતી સસરા પાસે બેસતા સસરાએ તેની સાથે બીભત્સ વાતો કરતા ફરિયાદી યુવતીને ન ગમતા તે પોતાના બેડરૂમમાં જઈ સુઈ રહી હતી. તે સમયે સસરાએ તેના બેડરૂમમાં જઈ તેને ઇમોશનલ કરી તેને શારીરિક અડપલા કરવાના શરૂ કર્યા હતા. યુવતીએ સ્વબચાવ કરવા માટે સસરાને એક લાફો માર્યો હતો. જોકે હેવાન સસરાએ તેનું મો દબાવી “તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે, તો તને કાયમ માટે આશ્રમમાં મૂકી આવીશું” તેવી ધમકી આપી જબરદસ્તી મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

ઘટના બાદ યુવતીનાં સાસુ નોકરી પરથી આવતા તેણે આ મામલે સાસુને જાણ કરતા તેઓએ પણ તેની સાથે મારઝુડ કરી આ બાબતની કોઈને જાણ કરીશ તો તને આશ્રમમાં મૂકી આવીશું, તે પ્રકારની ધમકી આપી હતી.જે બાદ તેણે આ ઘટનાની જાણ પતિને કરતા તેણે પણ વિશ્વાસ કર્યો ન હતો. થોડા સમય બાદ યુવતીએ દિયર-દેરાણીને આ બાબતે જાણ કરતા તેઓએ પણ વિશ્વાસ ન કરી પરિણીતાને ધમકીઓ આપી હતી. અંતે કંટાળીને પરિણીતાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:કોવિંદના નવા ઘરે પહોંચ્યા આ મહેમાનો, જાણો નિવૃત્તિ પછી શું કરશે પૂર્વ રાષ્ટ્રપતિ?

આ પણ વાંચો:સાયબર ક્રાઇમ 27 કરોડની ઠગાઈની ફરીયાદથી દોડતી થઈ અને કોથળામાંથી નીકળ્યું બીલાડું.!

આ પણ વાંચો:ગુજરાતની થરાદ વિધાનસભા બેઠક, જાણો અહીંનું મતદાન સમીકરણ