જામનગર/ દહેજના ત્રાસથી કંટાળીને મેયરની પૂત્રીએ નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકાના પ્રથમ નાગરીક એવા બીનાબેન કોઠારીની પુત્રી પંકતી અશોકભાઇ કોઠારીએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના રાજકોટ ખાતે રહેતા પતી કાર્તિકભાઇ ગીતાબેન મહેતા તેઓને ત્રાસ આપે છે

Gujarat Others
મેયરની પુત્રી
  • જામનગરના મેયરની પુત્રીને પતિએ આપ્યો ત્રાસ
  • મેયરની પુત્રી પંક્તિએ નોંધાવી ફરિયાદ
  • અધિકારી પતિ સામે કરી ફરિયાદ
  • માર મારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ

જામનગરના મેયરની પુત્રી ને પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. મેયરની પુત્રી પંક્તિએ ફરિયાદ નોંધાવી છે. અધિકારી પતિ સામે ફરિયાદ નોંધાવી છે. માર મારી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી મુજબ દહેજ માટે શારીરિક–માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી–બી ડિવિઝનમાં નોંધાતા ભારે ચકચાર મચી છે.

જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકાના પ્રથમ નાગરીક એવા બીનાબેન કોઠારીની પુત્રી પંકતી અશોકભાઇ કોઠારીએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના રાજકોટ ખાતે રહેતા પતી કાર્તિકભાઇ ગીતાબેન મહેતા તેઓને ત્રાસ આપે છે તેમજ મારકૂટ કરતા હોય જે અંગેની ફરિયાદ સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપવામાં આવી હતી.

જો કે, સુરેન્દ્રનગર ખાતે DLR કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિકને અનેક વાર નોટિસો આપવા છતાં હાજર ન થતા રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતા. આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે સાથોસાથ ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ અધિકારી સામે કેસ તો બીજી તરફ દહેજનો મામલો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

આ કેસમાં ફરિયાદીના કહ્યા મુજબ 498 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે, તેઓ સીટી-બી વિસ્તારમાં રહે છે, એટલે ફરિયાદ સીટી-બી માં દાખલ થઇ બાકી તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચલાવે છે.

આ પણ વાંચો:તેલંગાણામાં ટ્રક અને ઓટો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મોત,17 ઇજાગ્રસ્ત