કોલકાતામાં ફરી એકવાર ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જોરબાગન મેદાનના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શુક્રવારે રાત્રે લાગેલી ભીષણ આગને કારણે ઘણી તબાહી મચી ગઈ છે. આગની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગ પર કાબૂ મેળવવા માટે સાત-સાત ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે પરંતુ પરિસ્થિતિ કાબૂમાં આવી રહી નથી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગ લગભગ 10.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. લોકો તેને બુઝાવે તે પહેલા આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારને લપેટમાં લેવા લાગી હતી. ગીચ વસ્તીના કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.
ગયા મહિને થર્મોકોલ ફેક્ટરીમાં લાગી હતી ભીષણ આગ
ગયા મહિનાના અંતમાં હાવડામાં થર્મોકોલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હાવડાના દોમજુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાંથી ભારે ધુમાડો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ આવી પહોંચી હતી, પરંતુ આગ એટલી ગંભીર હતી કે આસપાસમાંથી ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ બોલાવવી પડી હતી.
આ પણ વાંચો :આજે લખનૌનું રાજકીય તાપમાન વધશે, અમિત શાહ, રાજનાથ સિંહ અને સીએમ યોગી કરશે જાહેરસભા
આ પણ વાંચો :આતંકવાદીઓ સામે વધુ કડકાઈ, અમિત શાહે અજીત ડોભાલ સાથે મળીને રણનીતિ બનાવી
આ પણ વાંચો :વડાપ્રધાન મોદી આજે ગોબર-ધન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, દરરોજ 17,000 કિલો CNGનું થશે ઉત્પાદન
આ પણ વાંચો : ભાજપ અને સપાના ઉમેદવારોના સમર્થકો વચ્ચે અથડામણ, અનેક રાઉન્ડ કરવામાં આવી ફાયરિંગ