- જમ્મુ કાશ્મીરનાં પંપોરમાં આતંકી અથડામણ
- આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણ
- એન્કાઉન્ટરમાં એક આતંકવાદી મરાયો ઠાર
- ગુરુવારથી પંપોરનાં લાલપોરા વિસ્તારમાં તણાવ
ગઇકાલે લાલપોરાનાં પંપોરે વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની વિગતો સામે આવતા સેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ચલાવવામાં આવ્યું હતું . સેનાનાં સધન સર્ચ ઓપરેશનથી ગભરાયેલા આંતકી દ્વારા સર્ચ કરી રહેલ સેના પર ફાયરિંગ શરુ કરી દેવામાં આવ્યું હતું. આતંકીઓના આંધાધૂંધ ફાયરિંગમાં બે સામાન્ય નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. જો કે, ભિષણ અથડામણનાં અંતે સેના દ્વારા એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, ઠંડીની સિઝન શરુ થઇ ચૂકી છે અને માટે જ પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ LoCમાંથી કાશ્મીરમાં ઘૂસવાનાં સધન પ્રયાસો કરી રહ્યા છે, હિમવર્ષા પૂર્વે આતંકીઓની કોશિશ હોય છે કે તે ભારતમાં પ્રવેશ કરે અને માટે જ આ સિઝનમાં સેના દ્વારા વારંવાર કાશ્મીરનાં વિવિધ ભાગોમાં સર્ચ ઓપરેશન હાથધરવામાં આવે છે.