અમદાવાદ
અમદાવાદ લો-ગાર્ડન પાસે આવેલા બીબીસી ટાવરના આઠમાં માળે આગ લાગી હતી. આગના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સદનસી આગમાં કોઇ જાનહાની નથી પરંતુ મહત્વનું એ છે કે, આ બિલ્ડીંગમાં ફાયરસેફટીને લઇને કોઇ સુવિધા નથી અને બિલ્ડીંની બારીઓમાં હવાઉજાસ આવી શકે તેવી પણ સુવિધા નથી.
જેના કારણે આગમાં ફાયરબ્રિગેડને પણ આગ પર કાબૂ મેળવવામા ભારે હાલાકી પડી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ એ.એમ.સીના અધિકારીઓને બોલાવ્યા હતા. બિલ્ડીંગને સીલ કરવાની તાકીદ કરી હતી. ફાયરસેફટીના સાધનો પણ બંધ હાલતમાં મળી આવી હતી.