સુરેન્દ્રનગર ફાયરિંગ/ સાયલાના ડોળીયા પાસે ધાંધલપુર ગામનાં પૂર્વ સરપંચ પર ફાયરિંગ

સાયલા તાલુકાનાં ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઇ મોતીભાઇ રબારી ઉપર ડોળીયા ગામ પાસે ફાયરીંગ કરવામાં આવતાં દોડધામ મચી ગઈ હતી.

Top Stories Gujarat Others
WhatsApp Image 2022 10 08 at 1.20.07 AM 1 સાયલાના ડોળીયા પાસે ધાંધલપુર ગામનાં પૂર્વ સરપંચ પર ફાયરિંગ

સાયલા તાલુકાનાં ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઇ મોતીભાઇ રબારી ઉપર ડોળીયા ગામ પાસે ફાયરીંગ કરવામાં આવતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે જુના ઝઘડાની અદાવતમાં ફાયરીંગ થયું હોવાનું મનાઇ રહ્યું છે.

સુરેન્દ્રનગર એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ જુની અદાવતમાં ફાયરીંગ થયાનું અનુમાન છે.  સાયલા એપીએમસીમાં વન પ્રાણી કાર્યક્રમ પતાવીને પોતાના ઘરે ધાંધલપુર તરફ જતા ડોળીયા પાસે બન્યો હતો.

હાલ ધાંધલપુર ગામે રણછોડભાઇના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.  હાલ જુના ઝઘડાનું કારણ સામે આવી રહ્યુ છે.  હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરીયાદી રણછોડભાઇ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોધાવાની કામગીરી કરાઇ રહી છે ફાયરીંગ મા કારને સાઇડમાં નુકસાન થયું છે તેથી પોલીસ કારને એફએસએલ મા મોકલી આપશે