આજે રઘુવર દાસ ઓડિશાના રાજ્યપાલ તરીકે શપથ લેશે. રઘુવર દાસ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકયા છે. આજે રાજ્યપાલ તરીકે શપથ લેતા રઘુવરદાસે ઓડિશાને નંબર વન રાજ્ય બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમને શુભેચ્છા આપવા ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોની મોટી ભીડ ઉમટી પડી હતી. ઝારખંડથી ઓડિશા જતા પોતાના શુભેચ્છકોને કહ્યું કે જમશેદપુર અને ઝારખંડ મારા હૃદયમાં રહેશે
રઘુવર દાસે ઓડિશાને દેશનું નંબર-વન રાજ્ય બનાવવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જ્યારે તેમણે એમ પણ કહ્યું કે જમશેદપુર અને ઝારખંડ હંમેશા તેમના હૃદયમાં રહેશે. એક દિવસ પહેલા જ રઘુવર દાસે વિજય મિલનમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી તેમને જે પણ જવાબદારી મળી છે તે તેમણે દિલથી નિભાવી છે. ભવિષ્યમાં પણ આવું જ કરશે. આ વિજય મિલન સમારોહમાં તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયકની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ઘણા વર્ષોથી ઓડિશા માટે સારું કામ કરી રહ્યા છે. તેમની સાથે સંકલન કરીને ઓડિશાને નંબર વન રાજ્ય બનાવવા તેમજ તમામ ક્ષેત્રોમાં રાજ્યને અગ્રેસર બનાવવાના તમામ શક્ય પ્રયાસો કરીશ. હવે સરકાર સાથે મળીને અમે ઓડિશાને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું .
1980થી રઘુવર દાસ ભાજપ સાથે સંકળાયેલા છે. અને પક્ષે સોંપેલ વિવિધ જવાબદારીનું વહન કરતા રહ્યા છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવરદાસે રાજ્યપાલ તરીકે નવી જવાબદારી મળવા પર સંતોષ વ્યક્ત કર્યો. આ સાથે તેમણે પીએમ મોદી, ગૃહમંત્રી અમિતશાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો આભાર વ્યક્ત કર્યો. રઘુવર દાસની સાથે તેમનો પરિવાર, ભાજપના કાર્યકરો પણ ઓડિશા જવા રવાના થયા હતા. જમશેદપુર, આરપીએફ અને જીઆરપીમાં નિયુક્ત સરકારી સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત ઓડિશા રાજભવનના સુરક્ષા કર્મચારીઓ પણ તેમની સુરક્ષામાં તૈનાત કરાયા હતા.
નોંધનીય છે કે ઓડિશાના ગવર્નર તરીકે રઘુવર દાસની નિમણૂકની માહિતી 18 ઓક્ટોબરે જાહેર કરવામાં આવી હતી. જેના બાદ તેમણે કહ્યું, “હું એક મજૂરનો દીકરો છું. મેં ક્યારેય સપનું પણ નહોતું વિચાર્યું કે તેમને ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યપાલ બનાવવામાં આવશે.
આજે યોજાનાર શપથ સમારોહમાં રઘુવર દાસના પત્ની રુક્મિણી દાસ, પુત્ર લલિત દાસ, પુત્રી રેણુ કુમારી, પુત્રવધૂ પૂર્ણિમા દાસ ઉપરાંત ભાજપના જમશેદપુર મહાનગર પ્રમુખ ગુંજન યાદવ, પૂર્વ જિલ્લા પ્રમુખ રામબાબુ તિવારી, કમલેશ સિંહ, ભૂપેન્દ્ર સિંહ, પવન અગ્રવાલ હાજરી આપશે.
આ પણ વાંચો : હાર્ટ એટેકના વધતા કિસ્સાને લઇ આરોગ્ય મંત્રીની સલાહ, આવા લોકો હાલ સખત મહેનત કરવાનું ટાળજો
આ પણ વાંચો : Andhra Train Accident/ આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, 12 ટ્રેનો રદ, 15 ડાયવર્ટ, વળતરની કરાઈ જાહેરાત
આ પણ વાંચો : Train Accident/ આંધ્રપ્રદેશ રેલવે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત