તાઉતે વાવાઝોડા અગાઉ કચ્છના કંડલા પોર્ટ પર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે કંડલાપોર્ટ પર અગાઉ ૧૯૯૮માં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી.
તો ભાવનગરના ઘોઘાબંદર પર વાવાઝોડાની સંભાવનાઓને લઇને તંત્ર એલર્ટ બન્યુ છે. ભાવનગરના દરિયાકિનારા પર પવનની ગતિમાં વધારો થયો છે. જેને લઇને ઘોઘાબંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયુ છે.
પોરબંદરમાં તાઉતે ચક્રવાતના તોળાતું સંકટ વચ્ચે ભયજનક 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડા પહેલાં પોરબંદરના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
તાઉતે વાવાઝોડાને પગલે જામનગરનું તંત્ર પણ એલર્ટ છે. જામનગરના તમામ બંદરો પર 8 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. તો દરિયાકાંઠે રહેતા લોકોને સચેત રહેવા સૂચના અપાઇ છે.
દેવભૂમી દ્વારકાના ઓખા બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સંભવિત વાવાઝોડાને પગલે ગઈકાલે રાત્રે 4 નંબરનું સિગ્નલ લગાવાયું હતું. જોકે ખતરાને જોતાં હવે સલાયા, વાડીનાર સહિતના બંદર પર 8 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
તો જૂનાગઢના માંગરોળના દરિયામાં તાઉતેને લઇને જોરદાર કરંટ જોવા મળ્યો છે. માંગરોળ બંદર પર ભયજનક ૧૦ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
પોરબંદર પર 8 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડું સાંજે પોરબંદરના દરિયાકિનારે ટકરાવાની શક્યતા છે..માધવપુર પોરબંદરની વચ્ચે ટકરાવવાની સંભાવનાને લઇને તંત્ર સક્રિય છે. પોરબંદર દરિયાકાંઠે 5000થી વધુ બોટ લાંગરવામાં આવી છે.
તાઉતે વાવાઝોડાને લીધે મોરબીના નવલખી બંદર પર પણ આઠ નંબરનું સિગ્નલ લગાવાયું છે. તૈયારીઓના ભાગરૂપે અહી તંત્ર દ્રારા ૩૦ ટુકડીઓને તૈયાત કરવામાં આવી છે.