- UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં PMનું સંબોધન
- વિશ્વએ હવે કામ કરી બતાવવાનો સમય આવી ગયો
- અમે પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છીએ
- વિશ્વના 80 દેશો આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં અમારી સાથે
- વૈશ્વિક સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ અભિયાન ચલાવીશું
PM મોદીએ હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ પછી, સોમવારે ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના અધિવેશનને સંબોધન કર્યું હતું. UNમાં હવામાન પરિવર્તન અંગે PM મોદીએ કહ્યું, ‘અમે પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છીએ. જળસંગ્રહ માટે અમે ‘જલ જીવન મિશન’ શરૂ કર્યું છે. વરસાદી પાણીના સંગ્રહ માટે પણ અમે કામ કર્યું છે. આગામી કેટલાક વર્ષોમાં ભારત જળસંચયના કામો પર કરોડ ડોલર ખર્ચ કરશે.