- ડો. મનમોહનસિંહે કરી ચિદમ્બરમની મુલાકાત
- તિહાર જેલમાં જઇ કરી મુલાકાત
- સોનિયા ગાંધી પણ પહોંચ્યા હતા તિહાર જેલ
- ડો. સિંહે પુછ્યા વેધક સવાલ
- અધિકારીઓ અપરાધી નથી, તો મંત્રી શી રીતે અપરાધી
INX મીડિયા કેસ મામલે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની સતત અટકાયત પર ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો કે જ્યારે અધિકારીઓએ દરખાસ્તને મંજૂરી આપવામાં કોઈ ભૂલ કરી નહોતી, ત્યારે ચિદમ્બરમે ગુના અંગે નાણાં પ્રધાન તરીકે આવું કરવા માટેનો આરોપ કેવી રીતે મુકી શકાય?