Not Set/ છત્તીસગઢ : PM મોદીની રેલી પહેલા જ CISFની ગાડી પર નક્સલીઓએ કર્યો મોટો હુમલો, ૧ જવાન શહીદ

દંતેવાડા, દેશના નકસલવાદથી પ્રભાવિત રાજ્યોમાના એક છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે એક મોટો નક્સલી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. નક્સલીઓએ દ્વારા CISFની ગાડી પાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧ જવાનો શહીદ થયા છે તેમજ ૪ સ્થાનિક નાગરિકોના પણ મોત થયા છે. 1 CISF jawan&4 civilians lost their lives&2 injured in the attack today. Morale of the forces […]

Top Stories India Trending
Drd6SF4UUAA1WQ0 છત્તીસગઢ : PM મોદીની રેલી પહેલા જ CISFની ગાડી પર નક્સલીઓએ કર્યો મોટો હુમલો, ૧ જવાન શહીદ

દંતેવાડા,

દેશના નકસલવાદથી પ્રભાવિત રાજ્યોમાના એક છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે એક મોટો નક્સલી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. નક્સલીઓએ દ્વારા CISFની ગાડી પાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧ જવાનો શહીદ થયા છે તેમજ ૪ સ્થાનિક નાગરિકોના પણ મોત થયા છે.

આ ઉપરાંત નક્સલી હુમલામાં ૭ જવાનો ગંભીર રીતે ઘયાલ થયા છે, જેમાંથી ત્રણ જવાનોની હાલત નાજુક હોવાનું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આ હુમલો દંતેવાડાના બચેલી વિસ્તારમાં થયો છે.  આ ઘટના એ સમયે બની હતી, જયારે CISFની એક ટીમ મિનિ બસ લઈને આકાશ નગરથી તરફ રવાના થઇ હતી. ત્યારબાદ પાછા ફરતી વખતે આ બસ જયારે આકાશ નગરના મોડ નંબર ૬ પર પહોચી હતી, ત્યારે નક્સલીઓએ LED બ્લાસ્ટ કર્યો હતો.

નક્સલીઓએ કરેલા આ બ્લાસ્ટમાં બસ અંદાજે ૮ ફૂટ જેટલી ઉછળી હતી અને ત્યારબાદ તેઓએ જવાનો પર ફાયરીંગ શરુ કરી દીધું હતું.

નક્સલીઓએ આ હુમલો એ સમયે કર્યો છે, જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જગદલપુરમાં એક ચુંટણીની જાહેરસભાને સંબોધવાના છે. જગદલપુર એ દંતેવાડા સાથે જોડાયેલા બસ્તર જીલ્લાનો એક વિધાનસભા વિસ્તાર છે.