દંતેવાડા,
દેશના નકસલવાદથી પ્રભાવિત રાજ્યોમાના એક છત્તીસગઢના દંતેવાડામાં મંગળવાર સવારે એક મોટો નક્સલી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. નક્સલીઓએ દ્વારા CISFની ગાડી પાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧ જવાનો શહીદ થયા છે તેમજ ૪ સ્થાનિક નાગરિકોના પણ મોત થયા છે.
આ ઉપરાંત નક્સલી હુમલામાં ૭ જવાનો ગંભીર રીતે ઘયાલ થયા છે, જેમાંથી ત્રણ જવાનોની હાલત નાજુક હોવાનું હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આ હુમલો દંતેવાડાના બચેલી વિસ્તારમાં થયો છે. આ ઘટના એ સમયે બની હતી, જયારે CISFની એક ટીમ મિનિ બસ લઈને આકાશ નગરથી તરફ રવાના થઇ હતી. ત્યારબાદ પાછા ફરતી વખતે આ બસ જયારે આકાશ નગરના મોડ નંબર ૬ પર પહોચી હતી, ત્યારે નક્સલીઓએ LED બ્લાસ્ટ કર્યો હતો.
નક્સલીઓએ કરેલા આ બ્લાસ્ટમાં બસ અંદાજે ૮ ફૂટ જેટલી ઉછળી હતી અને ત્યારબાદ તેઓએ જવાનો પર ફાયરીંગ શરુ કરી દીધું હતું.
નક્સલીઓએ આ હુમલો એ સમયે કર્યો છે, જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જગદલપુરમાં એક ચુંટણીની જાહેરસભાને સંબોધવાના છે. જગદલપુર એ દંતેવાડા સાથે જોડાયેલા બસ્તર જીલ્લાનો એક વિધાનસભા વિસ્તાર છે.