દિલ્હીમાં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ 29 નવેમ્બરથી ફરી ખુલશે. પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આજે એટલે કે 24 નવેમ્બરે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીમાં હવાની ગુણવત્તા હવે સુધરી રહી છે. વધતા વાયુ પ્રદૂષણને કારણે રાષ્ટ્રીય રાજધાનીએ એક સપ્તાહ માટે સ્કૂલ, શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ બંધ કરી દીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સ્થિતિ સુધરી રહી છે. 24 નવેમ્બરની સવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 280 (એકંદરે) નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :રાહુલ ગાંધીએ BJP ના ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ, માંગ્યો કોરોનાથી થનારા લોકોના મૃત્યુનો આંકડો
રાજધાનીમાં 140 વાલીઓના જૂથે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલને સ્કૂલ ફરીથી ખોલવાની માંગણી કરીને પત્ર લખ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે હવાની બગડતી ગુણવત્તાને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને ઓફિસો બંધ રાખવામાં આવી હતી. પત્રમાં, વાલીઓએ જણાવ્યું હતું કે કોવિડ-19ને કારણે સ્કૂલ લાંબા સમયથી બંધ હતી અને હવે AQI પણ સુધરી રહ્યો છે.
જો AQI 100 થી ઉપર હોય તો શું?
જ્યારે AQI મૂલ્ય 100 થી ઉપર હોય છે, ત્યારે હવાની ગુણવત્તાને બિનઆરોગ્યપ્રદ ગણવામાં આવે છે, જ્યારે AQI મૂલ્ય 100 અને તેનાથી નીચે સામાન્ય રીતે સંતોષકારક માનવામાં આવે છે.
આ પણ વાંચો :ડેટા સંરક્ષણ કાયદાનો માર્ગ અંતિમ તબક્કામાં
15 નવેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓ છે બંધ
વાયુ પ્રદૂષણના ‘ગંભીર’ સ્તરને કારણે દિલ્હીમાં 15 નવેમ્બરથી શાળાઓ બંધ છે. શિક્ષણ નિયામક કચેરીએ અગાઉ જાહેરાત કરી હતી કે શાળા, કોલેજો અને સરકારી કચેરીઓ આગામી આદેશો સુધી બંધ રહેશે. આ દરમિયાન ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
ગયા અઠવાડિયે વાયુ પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે માત્ર દિલ્હીમાં જ નહીં, ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત અને ઝજ્જરમાં પણ શાળાઓ બંધ કરવામાં આવી હતી. હરિયાણા સરકારે જુલાઈમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, વર્ગ 4 અને 5 ના વિદ્યાર્થીઓ માટે 1 સપ્ટેમ્બર અને વર્ગ 1 થી 3 ના વિદ્યાર્થીઓ માટે 20 સપ્ટેમ્બરથી શારીરિક વર્ગો ફરીથી ખોલ્યા હતા.
આ પણ વાંચો : ઇન્ટરનેટની દુનિયા ફરી બદલાવાની છે? કેન્દ્રીય મંત્રીએ કહ્યું- 2023ના અંત સુધીમાં 6G ટેક્નોલોજી શરૂ થશે
જાહેર પરિવહનનો કરો ઉપયોગ
આ દરમિયાન ગોપાલ રાયે તેમના કર્મચારીઓને મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ એટલા માટે કહેવામાં આવ્યું હતું કે શક્ય તેટલા ઓછા વાહનો રસ્તા પર રહે અને હવાની ગુણવત્તા ફરીથી બગડે નહીં. ગોપાલ રાયે એમ પણ કહ્યું છે કે જ્યાં દિલ્હી સરકારના કર્મચારીઓની સંખ્યા વધુ છે ત્યાં વિશેષ બસ સેવા શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો : કૃષિ કાયદો પાછો ખેંચી લીધા બાદ સરકાર શ્રમ કાયદો પણ મુલતવી રાખવાના મૂડમાં
આ પણ વાંચો :હાલ બુસ્ટર ડોઝની કોઈ જરૂર નહિ, ત્રીજી વેવની શક્યતા ઘટી રહી છે – રણદીપ ગુલેરિયા