પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કિરણ મઝુમદાર શો ને કોરોનાનો ચેપ લાગ્યો છે. બાયોકોન લિમિટેડનાં અધ્યક્ષ પર્સન કિરણ મઝુમદારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે.
દેશની અનેક મોટી હસ્તીઓ પણ કોરોના વાયરસની ઝપટમાં આવી રહી છે. બાયોકોનનાં કાર્યકારી અધ્યક્ષ કિરણ મઝુમદાર શો પણ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે. કિરણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કિરણે ટ્વીટ કરીને લખ્યું છે કે, હું પણ હવે કોરોના પોઝિટિવની સૂચિમાં છું, મને કોરોનાનાં હળવા લક્ષણો છે, આશા છે કે જલ્દીથી તેનો ઉપચાર થઈ જશે. જણાવી દઇએ કે, તેમની કંપની કોરોના દર્દીઓની સારવાર માટે દવાઓ બનાવવામાં સામેલ છે.
કિરણ શો એ તાજેતરમાં કહ્યું હતું કે, ભારતે હવે તેની રસીકરણની વ્યૂહરચના તૈયાર કરવાની જરૂર છે. કોવિડ-19ની રસી આ વર્ષનાં અંત સુધીમાં અથવા આવતા વર્ષનાં મધ્ય સુધીમાં તૈયાર થઈ શકે છે. જો ભારત બાયોટેક રસી અથવા ઝાયડસ કેડિલા રસી તરીકે સારા પરિણામો બતાવવાનું શરૂ કરે છે, તો આપણે પણ આ વર્ષનાં અંત સુધીમાં આ રસી તૈયાર કરી શકીશું. આપને જણાવી દઇએ કે, ભારતમાં કોરોનાનાં કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે, દરરોજ લગભગ 60 હજાર નવા ચેપનાં કેસ બહાર આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.