નવી દિલ્હીઃ જાણિતા પ્રર્યાવણવિદ, સંપાદદક અને છાયાકાર અનુપમ મિશ્રાનું સોમવાર સવારે દિલ્હીન AIMS હૉસ્પિટલ ખાતે નિધન થઇ ગયું છે. આ સમચાર મળતા જ તેમના તમામ સમર્થક દિલ્હીના શાંતિ પ્રતિષ્ઠાન ખાતે ભેગા થવા લાગ્યા હતા.
અનુપમ મિશ્રાનો જન્મ મહારાષ્ટ્રના વર્ધામાં શ્રીમતી સરલા મિશ્રા અને પ્રસિદ્ધ હિંદી કવિ ભાવના પ્રસાદ મિશ્રાને ત્યાં 1948 માં થયો હતો.પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જનચેતના જગાવવા અને સરકારોનું ધ્યાન આકર્ષિત કરવાની દિશામાં તે ત્યારથી કામ કરી રહ્યા છે. જ્યારથી દેશમાં પર્યાવહણ રક્ષાનો કોઇ વિભાગ પણ નહોતો ખુલ્યો
તેમના પ્રયત્નોથી રાજસ્થાનના સુકા પ્રદેશમાં જલ સંરક્ષણનું કામ શરુ થયું હતું. જેને દુનિયાએ જોયું અને વખાણ્યું હતું. સુકાય ગયેલી અરવરી નદીના પુનર્જીવનમાં તેમના પ્રયાસો વખાણવા લાયક છે. તેવી જ રીતે ઉતરાખંડ અને રાજસ્થાન લાપોડિયામાં પરંપરાગત જલ સ્રોતોના પુનર્જીવનની દિશામાં તેમણે મહત્વનું કામ કર્યું હતું.,