criminal case/ લોકસભાની 2019ની ચૂંટણી જીતેલા 233 સાંસદો પર અપરાધિક કેસ, ભાજપના 116 સાંસદોનો પણ સમાવેશ

23 માર્ચે જ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ અંગેના કથિત વિવાદાસ્પદ નિવેદન બદલ 2 વર્ષની જેલની સજા ફટકારી હતી

Top Stories India
7 1 7 લોકસભાની 2019ની ચૂંટણી જીતેલા 233 સાંસદો પર અપરાધિક કેસ, ભાજપના 116 સાંસદોનો પણ સમાવેશ

Criminal case:  સુરતની એક કોર્ટ દ્વારા બદનક્ષીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ અને રાહુલ ગાંધીએ તેમના સાંસદ ગુમાવ્યા છે. 23 માર્ચે જ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ અંગેના કથિત વિવાદાસ્પદ નિવેદન બદલ 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજાના આધારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

જો આપણે વર્ષ 2019 ના (Criminal case) ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો, રાહુલ ગાંધી એકમાત્ર એવા સાંસદ નહોતા કે જેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હોય. 2019માં ચૂંટાયેલા કુલ સાંસદોમાંથી 233 એટલે કે લગભગ અડધા સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આમાં પણ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી વધુ સાંસદો હતા.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે (એડીઆર)2019ની ચૂંટણી પરિણામો પછી એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં તેમણે 539 સાંસદોના શપથપત્રનું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણ પ્રમાણે 43 ટકા સાંસદ એવા હતા જેમના પર અપરાધિક કેસ નોંધાયેલા હતા.

નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં (Criminal case)ભારતીય જનતા પાર્ટીના 303 સાંસદ ચૂંટણી જીત્યા હતા. એડીઆરના મતે તેમાંથી 39 ટકા એટલે કે 116 સાંસદો સામે અપરાધિક કેસ નોંધાયેલા હતા. બીજેપી પછી કોંગ્રેસ બીજા નંબરે હતી. કોંગ્રેસના તો અડધાથી વધારે 57 ટકા સાંસદો અપરાધિક મામલાનો સામનો કરી રહ્યા છે. પાર્ટીએ 52 સીટો જીતી હતી અને તેના 29 સાંસદો પર આપરાધિક કેસ હતા. ત્રીજા નંબરે જેડીયુ હતી, જેના 13 સાંસદ (81 ટકા)પર અપરાધિક કેસ ચાલી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 2019માં ચૂંટણી જીતેલા 29 સાંસદો એવા છે જેમની સામે રેપ, મર્ડર, અટેમ્પ્ટ ટૂ મર્ડર, મહિલાઓ સામે હિંસા જેવા ગંભીર અપરાધિક મામલા ચાલી રહ્યા છે. જો ગંભીર મામલાની વાત કરવામાં આવે તો 2009ના મુકાબલે 2019 આવતા-આવતા ગંભીર કેસનો સામનો કરી રહેલા સાંસદોની સંખ્યામાં 109 ટકાનો વધારો થયો છે.લોકસભા દર વર્ષે ગુનાહિત સાંસદોની સંખ્યામાં વધારો થયો છે. 2009 અને 2019 વચ્ચે દસ વર્ષોમાં ગુનાહિત સાંસદોની સંખ્યામાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. 2009માં 162 સાંસદો એવા હતા જેમના પર અપરાધિક કેસ નોંધાયેલા હતા. આ લગભગ 30 ટકા હતા. 2014ની ચૂંટણીમાં અપરાધિક સાંસદોની સંખ્યા વધીને 185 થઇ ગઇ હતી. જે કુલ સાંસદોના 34 ટકા હતા.

નિવેદન/રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા પર અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરેએ આપી આ

Rahul Gandhi Disqualified/રાહુલ ગાંધીને તેમના કૃત્યની સજા મળી છે,કોંગ્રેસ નેતા પર ભાજપનો પ્રહાર