રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે રવિવારે એક કાર્યક્રમમાં તેમના બળવાખોર ભત્રીજા અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક સભ્યોએ પાર્ટી છોડી દીધી કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમની સામે તપાસ શરૂ કરી દીધી હતી. આ સાથે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને જેલમાં હતા ત્યારે તેમની વફાદારી બદલવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તપાસનો સામનો કરવાનું પસંદ કર્યું હતું.
શરદ પવાર પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં તેમના બળવાખોર ભત્રીજા અજિત પવારનું નામ પણ લીધું ન હતું. તેમણે કહ્યું કે જે લોકોએ પાર્ટી છોડી દીધી છે તેઓએ દાવો કર્યો છે કે તેઓ વિકાસ માટે સરકારનો ભાગ બનવા માંગે છે. પરંતુ આ સાચું નથી. હકીકતમાં, તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસના ડરથી ભાજપમાં જોડાયા હતા. કેટલાક સભ્યોને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. જો તેઓ નહીં જોડાય તો તેમને અન્યત્ર મોકલી દેવાશે તેમ પણ જણાવાયું હતું.
શરદ પવારે કહ્યું કે પાર્ટીના ઘણા નેતાઓ તપાસનો સામનો કરવા તૈયાર છે. તેમાંથી એક પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ છે. દેશમુખ 14 મહિના જેલમાં રહ્યા. તેમને ભાજપમાં જોડાવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ તેમણે NCP ન છોડવાનો નિર્ણય કર્યો હતો. શરદ પવારે કહ્યું કે રાજ્યમાં બેરોજગારી જેવી મોટી સમસ્યા છે. ખેડૂતો પણ ચિંતિત છે. સરકારે તેમના પર ધ્યાન આપવું જોઈએ.જુલાઈના પ્રથમ સપ્તાહમાં, અજિત પવાર અને તેમની સાથેના આઠ ધારાસભ્યો એનસીપીમાંથી પક્ષપલટો કરીને શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે તેમની સાથે ગયેલા 8 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા.